સ્વાસ્થ્ય

લીલા મરચા ખાવાના ફાયદા તમે નહીં જાણતા હોય. તો ચાલો આપણે જાણીએ લીલા મરચા ખાવાથી તમારા સ્વાસ્થને કયા ફાયદાઓ થશે.

લીલા મરચા સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટેના ગુણોની સંપત્તિ છે. લીલા મરચા માં અનેક પ્રકારના ગુણધર્મો હોય છે જેનાથી આપનું શરીર તંદુરસ્ત રહે છે. જો તમે હજી અજાણ છો, તો પછી જાણો લીલા મરચા ખાવાના સ્વાસ્થ્યપ્રદ ફાયદા, તમને ચોક્કસ આશ્ચર્ય થશે …
લીલા મરચા હૃદયને લગતા તમામ રોગો મટાડે છે. લીલા મરચા હૃદય માટે ખૂબ ફાયદાકારક છે. આ લોહીના ગંઠાવાનુંની સમસ્યાને સુધારવામાં મદદ કરે છે. લીલા મરચાં તમારી પાચન શક્તિને મજબૂત કરે છે, પાચનમાં સુધારે છે. લીલા મરચામાં ફાઈબર પણ સારા હોય છે, જે ખોરાકનું પાચન ઝડપી બનાવે છે.
સંધિવાના દર્દીઓ માટે પણ લીલા મરચા ખૂબ ફાયદાકારક છે. આ સિવાય લીલા મરચા શરીરના અન્ય ભાગોમાં દુખાવો ઓછો કરવામાં પણ મદદગાર છે. તેમાં વિટામિન સી, જે પુષ્કળ પ્રમાણમાં મળે છે, તે ઘાને મટાડવામાં મદદગાર છે. વિટામિન-સી હાડકાં, દાંત અને આંખો માટે પણ ફાયદાકારક છે.

લીલા મરચાથી ચહેરા પર નિખાર આવે છે અને કરચલીઓ ઓછી થાય છે. તે ત્વચા માટે એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિસિનની જેમ કામ કરે છે.તેમાં સી વિટામીન હોય છે જે ઘા રુઝાવામાં મદદ કરે છે. તેને રોજ ખાવાથી ત્વચા નીખરે છે અને સ્વસ્થ થાય છે.


લીલા મરચા ખાતી વખતે તમારે કેલરીની ચિંતા કરવાની રહેતી નથી અને તેમાં રહેલા બધા ગુણ તમને ઝીરો કેલરી સાથે મળે છે. માટે જો તમે વજન ઘટાડવાના ડાયેટ પર હોવ ત્યારે પણ તમે છૂટથી લીલા મરચા ખાઈ શકો છો.
લીલા મરચા ખાવાથી મજગમાં એન્ડોર્ફિનનો સંચાર થાય છે જેનાથી તમારો મૂડ સારો રહે છે. એટલે કે તમે તીખું ભોજન ખાઈ મૂડમાં રહેતા હોવ તો તે કંઈ કોઈ ખરાબ નથી પણ તેની પાછળ મરચાં જવાબદાર હોય છે.
લીલા મરચાના નિયમિત સેવનથી ફેફસાના કેન્સરનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. તે વાતનું ધ્યાન ધૂમ્રપાન કરનારા લોકોએ વધારે રાખવું જોઈએ કારણ કે તેઓ રોજ ધૂમ્રપાન દ્વારા પોતાના ફેફસાંનો થોડો ભાગ હવામાં ઉડાવી દે છે.
જો તમારી ઊંચાઈ ઓછી હોય તો રોજ નિયમિત રીતે મકાઈનો ડોડો કોલસા પર શેકી તેના પર મીઠું તેમલ લીલું મરચું લગાવીને ખાવાથી ઉંચાઈ વધે છે.
લીલા મરચામાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે, જે રોગો સામે લડવાની આપણી ક્ષમતામાં વધારો કરે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. લીલી મરચું ખાવાથી તમારું બંધ નાક પણ ખૂલી જાય છે.
લીલા મરચા એન્ટી ઓક્સીડેન્ટ્સથી ભરપુર હોય છે માટે તે શરીરની સફાઈનું કામ ખુબ સારી રીતે કરે છે. તે આપણા શરીરને ફ્રી રેડિકલની અસરથી બચાવે છે તેમજ આપણને કેન્સરના જોખમથી દૂર રાખે છે. તે શરીરની વૃદ્ધ થવાની પ્રક્રિયાને ધીમી કરે છે.

આજે મોટાભાગના લોકો ડાયાબીટિસની સમસ્યાથી પીડાતા હોય છે. આ લોકોએ દિવસના ખોરાક દરમિયાન મરચાનો ઉપયોગ કરવો જોઈએ. લીલા મરચાં ખાવાથી શરીરમાં શર્કરાનું લેવલ નિયંત્રણમાં રહે છે.
લીલા મરચાંમાં ઘણા પ્રકારનાં પોષક તત્વો હાજર હોય છે. સાથે જ લીલા મરચાં ખાવાથી આંખોની રોશની પણ તીવ્ર થાય છે. હંમેશાં પ્રયત્ન કરો કે જમવામાં લીલા મરચાં જરૂર હોય. લાલ મરચું ઓછું ખાવું અને લીલા મરચાનો પ્રયોગ વધારે કરવો જોઈએ.


લીલા મરચા ના ફાયદા આંખો માટે પણ છે અને તેને ખાવાથી આંખો ની રોશની તેજ થાય છે. લીલા મરચા માં વિટામીન-એ, વિટામીન-સી અને વિટામીન-ઈ હાજર હોય છે અને આ બધા તત્વ આંખો માટે ઉત્તમ માનવામાં આવે છે અને આંખો ને તંદુરસ્ત બનાવી રાખે છે.

ગેરફાયદા:

લીલું મરચું ખાવાથી અનેક ફાયદા થાય છે પણ જો તેનું જરૂર કરતાં વધારે સેવન કરવામાં આવે તો તમને નુકસાન પણ થઈ શકે છે.લીલા મરચામાં હાજર કેપ્સાઇસિન પેટની ગરમીને વધારે છે જેના કારણે કેટલાક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધીત મુશ્કેલીઓ ઉભી થાય છે. લીલા મરચામાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે બની શકે કે તમને અતિસાર થાય.
લીલા મરચના વધારે પડતા સેવનથી પેટમાં બળતરા અને ચક્કર આવવાની સમસ્યા પણ થઈ શકે છે. લીલા મરચામાં વધારે પ્રમાણમાં કેપ્સાઇસિન હોવાના કારણે હરસથી પિડિત વ્યક્તિ જો તેનું વધારે પ્રમાણમાં સેવન કરે તો તેની તકલીફ વધી શકે છે.
મસા, પેટની બળતરા, યુરિનને લગતી બીમારી, ગર્ભવતી મહિલા, કિડનીને લગતી બીમારીઓમાં લીલા મરચાનું સેવન કરવાથી નુકસાન થઇ શકે છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago