સ્વાસ્થ્ય

બે વાર સ્ટીમ લેવાથી તમે કોરોના સંક્રમણથી બચી જશો?

ભારતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. સોમવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.68 લાખથી વધુ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીના સર્વાધિક કેસ છે. એક જ દિવસમાં 904 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. સતત મ્યૂટેટ થઈ રહેલો વાયરસ, નવા સ્ટ્રેનના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે.

દરેક વ્યક્તિ એવી કોશિશમાં છે કે કઈ રીતે આખરે આ સંક્રમણથી બચી શકાય. આ માટે માસ્ક લગાવવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને હાથને બરાબર ધોઈને સ્વચ્છ રાખવા ઉપરાંત પણ અનેક પ્રકારના ઉપાય કરવામાં આવી રહ્યા છે. જેમ કે ઈમ્યુનિટી મજબૂત કરવા માટે ઉકાળા પીવા, હળદરવાળું દૂધ પીવું, વ્યાયામ કરવો વગેરે. પરંતુ આ યાદીમાં વધુ એક ચીજ સામેલ થઈ છે અને તે છે સ્ટીમ લેવી. સ્ટીમ લેવાના અનેક લાભ છે તે સામાન્ય રીતે બધા જાણે છે.

તાજેતરમાં ગુજરાતના એક આયુર્વેદિક ડોક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે કઈ રીતે ફક્ત દિવસમાં બે વાર સ્ટીમ લેવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે. આ આયુર્વેદિક ડોક્ટરના અનુસાર તેમની હોસ્પિટલનો સ્ટાફ ઓછામાં ઓછો 4000થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યો હતો. આમ છતાં અત્યાર સુધી તેમની હોસ્પિટલના સ્ટાફનો એક પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ થયો નથી અને તેનું સૌથી મોટું કારણ છે હોસ્પિટલનો સ્ટાફ દિવસમાં બે વાર સ્ટીમ લે છે.

તેઓ જણાવે છે કે સ્ટીમ લેવાની આ પદ્ધતિ ખુબ જ સરળ છે. તેમણે કહ્યું કે સ્ટીમ લેવા માટે સાવ સાદા પાણીનો ઉપયોગ કરી શકાય છે. જેમાં તમારે સૌ પ્રથમ નાકથી સ્ટીમ લઈને તેને શ્વાસ દ્વારા શરીરની અંદર લેવી અને ત્યારબાદ તેને મોઢા વાટે બહાર કાઢવાની હોય છે. આ પ્રક્રિયા 10વાર કરવી. ત્યારબાદ બિલકુલ વિપરિત મોઢા વાટે સ્ટીમ શરીરની અંદર લો અને નાક વાટે બહાર કાઢવી. આ રીતે

પણ અગાઉની જેમ 10 વાર સ્ટીમ લેવી.આ સમગ્ર પ્રોસેસમાં 2-3 મિનિટથી વધુ સમય લાગતો નથી. આમ તો સાદા પાણીથી લેવાયેલી સ્ટીમ પણ એટલી જ ફાયદાકારક છે પરંતુ જો તમને અરોમા પસંદ હોય તો તમે સ્ટીમવાળા પાણીમાં આજમો કે નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદ એક્સપર્ટની વાત માનીએ તો ડોક્ટર્સ પણ હવે સ્ટીમ ઈન્હેલેશનની પ્રક્રિયાને ખુબ ફાયદાકારક માની રહ્યા છે.

જો દેશમાં દરેક વ્યક્તિ રોજ દિવસમાં 2 વાર સ્ટીમ લેવાની શરૂ કરે તો કોરનાના દર્દીઓની સંખ્યા ઓછી કરવામાં મદદ મળી શકે છે. લાઈફ સાયન્સિઝ નામની જર્નલમાં ડિસેમ્બર 2020માં ઈટાલીની એક હોસ્પિટલમાં થયેલો અભ્યાસ પ્રકાશિત થયો હતો. જેમાં સ્ટીમ ઈન્હેલેશન એટલે કે શ્વાસ દ્વારા સ્ટીમને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને કોરોના ઈન્ફેક્શન વિરુદ્ધ કારગર ગણાવવામાં આવ્યું હતું. સ્ટીમ લેવાના કારણે કોરોનાથી સંક્રમિત દર્દીઓમાં પણ વાયરલ લોડ ઓછો કરવામાં મદદ મળવાની વાત આ સ્ટડીમાં જણાવવામાં આવી હતી.

Jay Vanani

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago