પ્રેરણાત્મક

સલામ છે આ દીકરીઓને : વૃદ્ધાશ્રમમાં આ 3 દીકરીઓ 50થી વધુ વડીલોને પોતાના માતા-પિતા સમજીને કરે છે સેવા

ગુજરાતનાં રંગીલા રાજકોટમાં એક અલગ જ માનવતા મહેકાવી લોકોના દિલોમાં રાજ કરતી 3 દિકરીઓનો કિસ્સો જાણવા મળ્યો છે, મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં એક વૃદ્ધાશ્રમનું આખું સંચાલન 3 દીકરીઓ કરે છે.

આપણે ઘણી વાર જોયું હશે કે જ્યારે દીકરો કે દીકરી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે અથવા મૂકવા જાય છે ત્યારે માતા પિતા દુખી અથવા પોતાને કોસતા હોય છે પણ અહી આવનાર દરેક વૃદ્ધ વડીલ ખુશ થતાં થતાં આવે છે કારણ કે અહી એમના દીકરા દીકરી કરતાં વ્હાલ વરસાવતી 3 દીકરીઓ પોતાના માતા પિતાની જેમ બધા વડીલોની સાર સંભાળ રાખે છે.

અહી આવનાર દરેક વડીલ પોતાનું જીવન સુખદ રીતે પસાર કરી રહ્યા છે. આશરે 100થી વધુ વડીલોની સેવા અને જીવન જરૂરિયાતની સેવા અહીની 3 દીકરીઓ જ પૂરી પાડે છે.

આ વૃદ્ધાશ્રમમાં પરિવાર પાસેથી કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી.અહી 140 વૃદ્ધ લોકો રહે છે, અને દરેક રૂમમાં 4 વડીલો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.જેમના દીકરા હયાત હોય તેમના માતા-પિતાને અહી રાખવામા આવતા નથી, કારણ કે વાસ્તવિક જીવન જરૂરિયાતની જેને જરૂર હોય તે જ લોકો અહી આવી શકે છે.

આ વૃદ્ધાશ્રમમાં,સંચાલકની સાથે આશ્રમના સંચાલન પાછળ મહિને 10 લાખથી વધુ ખર્ચ થાય છે. જેમાં ખાવા-પીવાથી લઈને વડીલોની દવાઓનો પણ સમાવેશ થાય છે. એ બધુ જ અહી વૃદ્ધાશ્રમના દાતા અને સંચાલન કરતી દીકરીઓ પોતાની રીતે કરે છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago