જ્યોતિષ

ઘર માં આ એક વસ્તું રાખવાથી પૈસા અને વૈવાહિક જીવન સાથે જોડાયેલ બધી જ તકલીફો થશે દૂર.

મનુષ્યનું જીવન પડકારોથી ભરેલું છે. લોકો ને પોતાનાં જીવન માં એ બધી જ તકલીફો નો સામનો કરવો પડે છે જેનાથી તેઓ અજાણ હોય છે અને સાથો સાથ પોતાનું કરિયર પણ બનાવવું પડતું હોય છે. કેટલાક લોકો પોતાની સમસ્યા નું સમાધાન મેળવવાં માટે જ્યોતિષ અને વાસ્તુ નો પણ આધાર લે છે કે જેથી તેઓ આ બધી જ સમસ્યાઓ માંથી જલ્દી છુટકારો મેળવી શકે અને એક વધું સારું જીવન જીવી શકે.

જો તમારા જીવન માં પણ પૈસા અને આર્થિક તકલીફો હોય કે પછી તમારા વૈવાહિક જીવન માં અનબન થઈ હોય તો કંઈ ખાસ કરવાની જરૂર નથી, બસ ઘર માં એક ખાસ વસ્તું રાખવા થી આ બધી જ તકલીફો એમ ગાયબ થઈ જશે કે લાગશે કે એ તકલીફો ક્યારે પણ હતી જ નહી! તો આવો જાણીએ..

માન્યતા છે કે ચાંદી નો મોર ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા નો વાસ થાય છે અને ચાંદી ને ઘરમાં રાખવા માટે નું શુભ ધાતું માનવા માં આવે છે અને બીજી બાજુ દેવતાઓ ને આ અતિપ્રિય હોય છે. ચાંદી નાં મોર ને ઘરમાં રાખવાથી પૈસા ની તકલીફ ક્યારે પણ ઉભી થતી નથી. અને સાથે જ તમારી પાસે જે પૈસા છે તે ટકી રહેવાના પણ શરૂ થઈ જાય છે. આ મોર નાચતો હોવો જોઈએ.

કહેવાય છે કે જો તમારા  વૈવાહિક જીવન માં ઘણી તકલીફો અને અનબન ચાલી રહી હોય તો ચિંતા ન કરો, ઘર માં જોડી નાં રૂપ માં ચાંદી નો મોર રાખવાથી આ બધી તકલીફો દૂર થઈ જશે અને વૈવાહિક જીવન માં ખુશહાલી અને શાંતિ બની રહેંશે. ચાંદી ની ડબ્બી માં સિંદૂર રાખવાથી વિવાહિત સ્ત્રીઓ ને અખંડ સૌભાગ્ય નું વરદાન મળે છે. ચાંદીને  સુખ-શાંતિ અને સમૃદ્ધિ નું પ્રતિક માનવા માં આવે છે. પહેલાનાં સમય થી જ કહેવાય છે કે મોર ઘરમાં સુખ-સુવિધા વધારે છે. ઘરનાં ડ્રોઈંગ રૂમ માં ચાંદી નો મોર જરૂર રાખો . આનાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને દરેક કામ માં સફળતા મળે છે.

શાસ્ત્રો અનુસાર ચાંદી ને શુભ માનવા માં આવે છે અને તે જ ચાંદી નો મોર ભાગ્ય પણ વધારે છે. જો તમે પણ એવું ઈચ્છતા હોવ કે તમારું જીવન  પણ ચમકી જાય તો ચાંદી નો મોર પૂનમ નાં દિવસે ખરીદી તિજોરી માં મુકી દો, આને શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂજા-પાઠ માં ચાંદી નો ઉપયોગ ખુબ જ શુભ ગણવામાં આવે છે. ઘર નાં મંદિર કે પૂજા સ્થળ પર શાંત અવસ્થા માં બેસેલો ચાંદી નો મોર રાખવાથી પૂજા નું બે ગણું ફળ મળે છે.

 

Kashyap Prajapati

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago