વડોદરા

વડોદરાના વાઘોડિયામાં યુવક-યુવતીએ આ કારણોસર કર્યો આપઘાત, જાણીને ચોંકી જશો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં પ્રેમી-પંખીડાના આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયાના નાનકડા ટીંબી ગામના યુવક દ્વારા પ્રેમિકાની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવા ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂરી બંનેએ જીવનનો કરૂણ અંત લાવી દીધો હતો. ત્યારે બનાવની જાણ થતાં જ પરિવારજનો, ફાયરબ્રિગેડ તેમજ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બંનેના આપઘાતના કારણે ગામમાં શોકનો માહોલ થઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિભા ગોહિલ નામની યુવતી અને જયદીપ ગોહિલ નામનો યુવક એકબીજાના પ્રેમમાં ગળાડૂબ રહેલ હતા. પરંતુ પરિવાર અને સમાજ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તેના કારણે બંને ઘરેથી ભાગી જવાનું નક્કી કરી લીધું હતું.

ત્યારબાદ બંનેએ બાઈક પર ચાલી નીકળ્યા હતા અને તેની સાથે આધારકાર્ડ, નવાં કપડા, મંગળસૂત્ર, સિંદુર લઈને પ્રેમીએ પ્રેમિકાની માગ ભરી હતી અને બાદમાં મંગળસૂત્ર પહેરાવી લગ્ન પણ કર્યા હતા. આપઘાત અગાઉ આ બંનેએ મોબાઈલમાં સેલ્ફી પણ લીધેલી હતી, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. થોડા દિવસો સુધી પરત ન ફરતા જયદીપના પરિવારે પોલીસમાં પુત્ર ગુમ થયા અંગે જાણ કરી દીધી હતી.

તેમ છતાં તપાસ દરમિયાન પર્સ, બંનેના મોબાઈલ, કપડાંની થેલી અને બાઈક મળી આવતા પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાત કર્યો હોવાની પરિવારને જાણકારી આપી દીધી હતી. આ બનાવની જાણ થતાં જ બંનેના પરિવાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રેમી-પંખીડાંના આ દુનિયાને અલવિદા કહેતાં પુત્ર અને પુત્રીના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.

[quads id=1]

Related Articles

Back to top button