Categories: સમાચાર

લ્યો બોલો, ત્રણ મહિલા ને કોરોના ને બદલે કુતરા કરડ્યા બાદ આપવામાં આવતી રસી આપી દીધી

ભૂલ કોનાથી થઈ એ ગોતવા માટે અપાયા આદેશ.

ઉત્તરપ્રદેશ માં આવેલ શામલી ના કાંધલાં મા સ્વાસ્થ્ય કેન્દ્ર પર કોરોના ની રસી મુકાવા માટે આવેલ 3 મહિલા ને ભૂલ મા એન્ટી રેઈબીઝ(કુતરા કરડ્યા બાદ આપવામાં આવતી રસી ) ની રસી મૂકી દીધા ની ફરિયાદ સામે આવી છે.

સીએમો ડોક્ટર સંજય અગ્રવાલે કહ્યું કે પીડિત મહિલા ઓ ના પરિવાર જાણો ની ફરિયાદ બાદ તપાસ ના આદેશ આપી દેવામાં આવ્યા છે.સરાવગ્યાન મહોલ્લા ના નિવાસી સરોજ અને તેમની સાથે અન્ય બે મહિલા અનારકલી અને સત્યવતી કોરોના ની રસી નો પહેલો દોસ્ત લેવા માટે નજીક ના સ્વાસ્થ્ય કેન્દ્ર પર પહોંચ્યા હતા.

રસી લઇ ને ઘરે આવી ને સરોજબેન ને ખુબજ ચક્કર આવવા મંડ્યા અને ગભરામણ થવા લાગી. આથી પરિવાર જનક તેને ચિકિત્સાક પાસે લઇ ગ્યા. ડોકટરે મહિલાને રસી આપ્યા બાદ આપેલ ચિઠ્ઠી તપાસી તો તેમાં કુતરા કરડ્યા બાદ આપવામાં આવતી રસી નો ઉલ્લેખ થયેલો હતો. ત્યાર બાદ ડોક્ટરે અન્ય બે મહિલા ની રસીદો જોઈ તો તેમા પણ એવો જ ઉલ્લેખ થયેલો હતો. સ્વાસ્થ્ય કેન્દ્ર ના પ્રભારી ડો. બીજેન્દ્ર સિંહ નું કેહવું છે કે જે 3 મહિલા ને એન્ટી રેબીઝ રસી ભૂલ મા મુકાઈ ગઈ છે તેના વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ વસ્તુ સંભવ નથી. એન્ટી રેબીઝ અને કોરોના ની રસી બંને અલગ અલગ જગ્યા એ આપવામાં આવી રહેલી હતી. મહિલા ઓ ભૂલ મા અલગ રૂમ મા ચાલ્યા જતા રહ્યા હશે. આ બાબતે વિગતવાર તપાસ નો રિપોર્ટ આપવા માટે માગ કરી છે. ડીએમ જાસજિત કોર એ જણાવ્યું કે આ ભૂલ પાછળ નું કારણ શોધવા માટે બે અધિકારીઓ ને કામે લગાડ્યા છે. બંને અધિકારી આજે સ્વાસ્થ્ય કેન્દ્ર મા જાચ અને મહિલા ના સ્ટેટમેન્ટ લેશે. આ પ્રમાણે સમગ્ર ઘટના ની સંપૂર્ણ તપાસ બાદ આરોપી ને આકરી સજા કરવામાં આવશે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago