જાણવા જેવું

મળી ગયો ઘરમાંથી ઊધઈ ને જડમૂળ માંથી ગાયબ કરવાનો જબરદસ્ત દેશી ઉપાય, ફરી ક્યારેય ઘર માં નહીં આવે ઊધઈ

ઉધઈ કીડીની જેમ ટોળાં ફરતી જોવા મળે છે. ઉધઈનો મુખ્યત્વે ખોરાક લાકડું, લાકડામાંથી બનેલી વસ્તુઓ અને ઝાડ-પાંદડાં હોય છે. ઊધઈ લાકડાને એવી રીતે ખાય છે કે પછી લાકડું આખું સડી જાય છે અને કોઈ પણ કામનું નથી રહેતું. ઉધઈ આપણા ઘર ઉપરાંત જંગલ અને જમીનની અંદર રાફડો બનાવીને રહેતી જોવા મળે છે.

ઘણા  સમયથી અવાવરા પડેલાં મકાનોમાં ઉધઈ ઝડપથી ફેલાતી હોય છે. તો ચાલો હવે આપણે જાણીએ આ ઊધઈને દૂર કરવાના ઉપાયો. કડવા લીમડાનું લાકડું પણ ઉધઈ ને અટકાવે છે. ગ્રેનાઇટ, રેતી કે કાચના ભૂકામાં લીમડાના લાકડાનો ભૂકો ભેળવી આ કરકરો પાઉડર દીવાલોની તિરાડોમાં ભરવો. આના લીધે ઊધઈને અવરજવર કરવામાં તકલીફ પડે છે અને તે દર બાંધી શકતી નથી.

તમાર ઘરની ચારેતરફ લીમડાના ભૂકાનું જાડું પડ પાથરવાથી દરેક પ્રકારના કીડા ઘરમાં આવતા અટકે છે. લીમડાનો ભૂકો ઉધઈ-પ્રતિરોધક છે. કડવા લીમડાનું તેલ અને એરંડિયાનું તેલ મિક્સ કરી ઊધઈના દરમાં નાખી શકાય. રબરનું દૂધ પણ ઊધઈને અટકાવે છે. કાળા મરી જીવડાને ગમતા નથી. તેનો ભૂકો પણ ઉપયોગી છે.

માથાના દુખાવો સમાન ઊધઈને દૂર કરવાનો સૌથી આસાન અને કારગત ઉપાય ધૂપ છે. ફર્નિચરમાં ધૂપ રાખવાથી તે ઉધઈથી એકદમ સુરક્ષિત રહે છે. જો તમારા ફર્નીચરમાં ઉધઈ લાગી જાય તો પણ તેમાં 3-4 દિવસ ધૂપ રાખવાથી તે નાશ પામશે. ઉધઈ કોઈપણ કડવી સુગંધથી દુર ભાગે છે તેથી જે જગ્યા પર ઉધઈ લાગેલ હોય તે જગ્યા પર કરેલાનો રસ કે પછી લીમડાનો રસ કાઢીને તેની ઉપર છાંટી દો.

કારેલાના રસની કડવી સુગંધ સુંઘતા જ બધી ઉધઈ ધીમે ધીમે નાશ થઈ જશે. ઓછામાં ઓછું ૩ થી ૫ દિવસ સુધી કારેલાનું જ્યુસ છાંટવું પડશે જેથી ઉધઈ પાછી ન લાગે. સંતરાની સુગંધ પણ ખૂબ જ તીવ્ર હોય છે. ઊધઈને ભગાડવા માટે ફર્નીચરમાં સંતરાની છાલ મૂકી દો. તમે આનો પાઉડર અથવા તેલ પર વાપરી શકો છો. સંતરાના તેલને સ્પ્રેની મદદથી ફર્નીચરના કાણામાં નાખો તેથી ઉધઈ તરત જ મરી જશે.

મીઠામાં પણ એટલી જ શક્તિ હોય છે કે તેનાથી ઉધઈનો નાશ કરી શકાય. તેથી જ્યાં જ્યાં ઉધઈ લાગેલ જોવા મળે તે તમામ જગ્યા પર મીઠા નો છંટકાવ કરી દો. મીઠું છાંટવાથી તમે જોશો કે ધીમે ધીમે બધી ઉધઈ મરવા લાગશે. લાલ મરચાનો પાવડર નો ઉપયોગ કરીને પણ ઉધઈનો નાશ કરી શકાય છે.

જે જગ્યાએ ઉધઈની અસર હોય તે જગ્યા પર જો લાલ મરચાનો પાવડર છાંટી દેશો તો તમામ ઉધઈ આપોઆપ મરી જશે. કેરોસિનની ગંધ તીવ્ર હોય છે જે ઉધઈને ઉદભવવા દેતી નથી. લાકડા પર કેરોસીન સ્પ્રે કરવાથી ઉધઈના કીડા મરી જાય છે. અઠવાડિયામાં એકવાર સુતરાઉ કપડામાં કેરોસિન લગાવી ફર્નીચરને લૂંછો. આનાથી ઉધઈની સમસ્યાથી છૂટકારો મળશે.

ઉધઇ સાબુના પાણીથી પણ દૂર ભાગે છે. રોજ 4 કપ પાણીમાં સાબુના ફીણ કરી આ પાણીને રોજ ફર્નિચર પર છાંટો. આ કામ ત્યાં સુધી કરો કે જ્યાં સુધી તમને ફરક ના દેખાય. સાબુના પાણીથી ઉધઇ ઝડપથી દૂર થશે. તે સિવાય સફેદ વિનેગર પણ ઉધઇને દૂર ભગાડવામાં ફાયદાકારક છે.

સફેદ વિનેગરને ઉધઇ થયેલી જગ્યા કે ફર્નિચર પર વિનેગર છાંટવાથી ઉધઇથી રાહત મળે છે. ઉધઈથી બચવા માટે રાસાયણિક દવાનો પણ ઉપયોગ કરી શકાય છે. આમાં નેપ્થેલિનની ગોળી સૌથી સારો વિકલ્પ છે. નેપથેલીન 2-3 ગોળીઓ ફર્નીચરમાં મૂકી દો તો ઉધઈના કીડા મરી જશે.

[quads id=1]

Related Articles

Back to top button