ગુજરાતરાજકારણ

આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલને ભાજપ સરકાર અને વીજ કંપનીઓની ખોલી દીધી પોલ

આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલને ભાજપ સરકાર અને વીજ કંપનીઓની ખોલી દીધી પોલ

દિલ્લી અને પંજાબમાં જો ફ્રી વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં. દેશમાં ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળે છે. ગુજરાતમાં 15 જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળીનું આંદોલન ચલાવી રહી છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી આમ આદમી પાર્ટી દ્વારા ફ્રી વીજળીનું આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ ફ્રી વીજળી મામલે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને જાગૃત કરવામાં સફળ રહી છે. આમ આદમી પાર્ટી ભ્રષ્ટ ભાજપ સરકાર અને ખાનગી વીજ કંપનીઓની મીલીભગત નો પર્દાફાશ કરવામાં સફળ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર અને વીજ કંપનીઓની પોલ ખોલીને રાખી દીધી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકોના પ્રશ્નોને સતત ઉઠાવતી રહી છે અને આગળ પણ ઉઠાવતી રહેશે.

ફ્રી વીજળી આંદોલનને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ-રાત કામ કરીને ગુજરાતમાં ઘરે-ઘરે પહોંચાડ્યું છે. ત્યારે હવે આ AAP નું ફ્રી વીજળી આંદોલન જન આંદોલન બની ગયું છે. ફ્રી વીજળી જે ગુજરાતની જનતાનો અધિકાર છે. તે અધિકાર અપાવવા આમ આદમી પાર્ટી આંદોલનનું સ્વરૂપ ધારણ કરીને રસ્તા પર ઉતરી છે. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, અમદાવાદના નારણપુરા, ચાંદલોડિયા અને નવા વાડજ, રાણીપ તથા ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચવામાં સફળ રહી છે. આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન જન આંદોલન બનતા ભાજપ અને કોંગ્રેસમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

ફ્રી વીજળી આંદોલનને કારણે હવે ગુજરાતનો દરેક નાગરિક જાગૃત થઇ રહ્યો છે. જે રીતે દિલ્હીની જનતા ને દર મહિને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે અને 1 જુલાઈથી પંજાબની જનતાને દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે તેવી જ રીતે ગુજરાતની જનતાને પણ વીજળી ફ્રી મળવી જોઈએ. આમ આદમી પાર્ટી આ ઉદ્દેશ્ય ને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. ગુજરાતના દરેક જિલ્લામાંથી આમ આદમી પાર્ટીને અભૂતપૂર્વ પ્રેમ અને સમર્થન મળ્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાતની દરેક સમસ્યાને મૂળથી ખતમ કરી દેવામાં તેનાથી બનતા દરેક પ્રયાસ કરવા ઉત્સાહભેર આગળ રહેશે.

AAP નું ફ્રી વીજળી આંદોલન સતત દસ દિવસથી ગુજરાતના દરેક શહેરમાં સક્રિય છે. ત્યારે આ અંગે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ભાજપ સરકાર આ ફ્રી વીજળી આંદોલનથી ડરી ગઈ છે. ફ્રી વીજળી આંદોલનને કચડી નાખવા ભાજપ સરકાર દ્વારા ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ લોકોના સમર્થનને કારણે સમગ્ર ગુજરાતમાં આંદોલન સફળ બની રહ્યું છે. દિલ્હીની જેમ, આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકોને મફત વીજળી આપવા માંગે છે કારણ કે મફત વીજળીથી ગરીબ અને મધ્યમ વર્ગને ઘણા અંશે ફાયદો થશે, જેનાથી મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગને થોડી રાહત મળશે.

[quads id=1]

Related Articles

Back to top button