રાજકારણ

ગુજરાતમાં સતત 10 દિવસથી ચાલી રહેલ ફ્રી વીજળી આંદોલનને લઈને ગોપાલ ઇટાલિયાએ કહી આ વાત

આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળીના આંદોલનથી ભાજપ ડરી ગઈ: ગોપાલ ઇટાલિયા

દિલ્લી અને પંજાબમાં જો ફ્રી વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં. દેશમાં ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળે છે. ગુજરાતમાં 15 જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળીનું આંદોલન ચલાવી રહી છે. આ ફ્રી વીજળી આંદોલનને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ-રાત કામ કરીને ગુજરાતમાં ઘરે-ઘરે પહોંચાડ્યું છે.

આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનને લઈને ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનની લહેર ગુજરાતના દરેક નાના-નાના ગામ અને શહેરમાં પહોંચી રહી છે. AAP ના ફ્રી વીજળી આંદોલનને કારણે હવે ગુજરાતનો દરેક નાગરિક જાગૃત થઇ રહ્યો છે. AAP નું ફ્રી વીજળી આંદોલન સતત દસ દિવસથી ગુજરાતના દરેક શહેરમાં સક્રિય છે. ત્યારે આ અંગે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ભાજપ સરકાર આ ફ્રી વીજળી આંદોલનથી ડરી ગઈ છે.

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ અમદાવાદના રાણીપ અને નવાવાડજ, સુરતના વરાછા અને કરંજ, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ, ભાવનગર અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં સાયકલ યાત્રા પદયાત્રા, મશાલ યાત્રા, અને ટોર્ચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો કે, આ ફ્રી વીજળી આંદોલન તો માત્ર શરૂઆત છે, આમ આદમી પાર્ટી જનતા ના હિત માટે ગુજરાતમાં દરેક મુદ્દા ઉઠાવશે અને ભાજપ સરકાર પાસે તેનો જવાબ પણ માંગશે. રાજ્યમાં અમે શિક્ષણ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યાં છે. આગામી દિવસોમાં અન્ય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે. આપના તમામ નેતાઓ અને કાર્યકર્તાએ લોકો સાથે જનસંપર્ક કરીને સમજાવ્યું કે ભાજપ સરકાર કેવી રીતે તેમના મૂળભૂત અધિકારોનું હનન કરી રહી છે. ત્યારે ગુજરાતની જનતા ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો ઓળખી ગઈ છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago