પતિ પત્ની વચ્હે લગ્ન થયા પહેલા એક બીજા પ્રત્યે ઘણો પ્રેમ હોય છે પરંતુ લગ્ન પછી આ પ્રેમ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. જેની પાછળ પતિ પત્ની દ્વારા થતી ઘણી ભૂલો અને ગેરસમજણ હોઈ શકે છે. આાજે આપણે પુરુષ વિષે અમુક એવી બાબતો જોવા જય રહ્યા છીએ કે જેના લીધે તેને પોતાના જીવન નો સાચો પ્રેમ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
આવી અમુક કુટેવો ને લીધે તમારી પત્ની તમારી સાથે રહી શકે છે પરંતુ તે તમને દિલ થી કોઈ દિવસ પ્રેમ કરી શકશે નહીં. જો તમે તમારી જિંદગી માં સાચો પ્રેમ મેળવવા માંગતા હોવ તો આ સાત બાબતો પર ખાસ વિચાર કરી ને તેમ સુધારો લાવો.
ઘમંડ ઘણા સંબધો નો અંત લાવી શકે: એવા પુરુષો કે જે ખુબજ ઘમંડી હોય છે અને જે હંમેશાં પોતાની જાતને પોતાની પત્નીથી હંમેશા ઉપર ગણે છે, તેઓને ક્યારેય પત્નીનો સાચો પ્રેમ મેળવી શકતા નથી. આ પુરુષો હંમેશા પોતાનો મર્દ હોવાનો દેખાવ કરતાં રહે છે અને હમેશા બધા મામલા માં મહિલાઓ થી આગળ રહી ને ગર્વ મહસૂસ કરે છે. આ આદત છોડી દેવી જોઈએ અને પત્નીઓ ને સમાન દરજ્જો આપવો જોઈએ.
કંટાળાજનક વર્તન હોવું: દરેક સ્ત્રી ને પોતાના જીવનમાં એડવેન્ચર અને આનંદ મેળવવા ની ઈચ્છા હોય છે. જો તમે તેની સાથે હંસી મજાક નથી કરતા અથવા રોમેન્ટિક વાતો અથવા મસ્તી નથી કરતા તો પત્ની કંટાળો આવવાનું શરૂ થાય છે અને પછી . તમારા કંટાળાજનક વર્તન ને લીધે તેનો પ્રેમ પણ ઓછો થવા લાગે છે. પછી કેટલીક પત્ની બીજા પુરુષ માં પ્રેમને શોધવા નું શરૂ કરી દે છે.
વધારે પડતો ખોટો ગુસ્સો: જે પુરુષ પોતાની પત્ની ઉપર વધુ ગુસ્સો કરે છે, અવાજ કરે છે અથવા બૂમ પાડે છે તેમને પણ સાચો પ્રેમ નથી મળતો. તમેં પત્નીને માર્યા પછી, તમે તરત જ તેની નજરમાં સન્માન ખોય બેસો છો. તે પછી તે તમારી સાથે માત્ર વાતચીત કરે, પરંતુ તે તમને હૃદયથી પ્રેમ કરી શકશે નહીં.
નહિવત સમાન રોમાન્સ: પરિણીત જીવનમાં પ્રેમનો સ્વભાવ રાખવો મહત્વપૂર્ણ છે નહીં તો તે ખૂબ નિસ્તેજ બને છે. પતિનું કામ ફક્ત કમાવું અને સંતાનો લેવાનું નથી, પરંતુ પત્નીને પ્રેમ કરવો, તેની સાથે રોમેન્ટિક વાતો કરવી છે. જ્યારે તમે તમારી પત્નીને પ્રેમ કરો છો ત્યારે તે તમને પણ તમને ખુબજ પ્રેમ કરે છે.
પત્ની પ્રત્યે લગણીવિહીન વર્તન: જો તમે એવા પ્રકારનાં પતિ છો કે જેને કોઈ ભાવના નથી અને જે તેની પત્નીની યોગ્ય રીતે કાળજી લેતા નથી, તો બદલામાં તમને પત્નીનો સાચો પ્રેમ નહીં મળે. ઉદાહરણ તરીકે જો પત્ની નાખુશ હોય તો તેને ના મનાવવી, માંદગીમાં તેની સેવા ન કરવી, વગેરે તમારા સંબંધોમાં તંગી લાવી શકે છે.
પોતાના જ કામ માં ખૂબ વ્યસ્ત રહેવું: ઘણી વખત પુરુષો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તે પત્નીને સમય આપવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં સ્ત્રી એકલતા અનુભવવા લાગે છે. તેને લાગે છે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ નથી. પછી તે તમારાથી દૂર થતી જાય છે અને તમારા પ્રત્યે નો પ્રેમ પણ સમાપ્ત થાય છે.
ફક્ત પોતાનો મતલબ સતોષવો: જે પુરુષ હમેશા પોતાના વિષે જ બધુ કરે છે, ખૂબ મતલબી વર્તણૂક ધરાવે છે તે લોકો ક્યારેય પોતાની પત્ની પાસે થી સાચો પ્રેમ મેળવી શકે નહીં.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…