સમાચાર

તેલંગાણા માં પૂર્વ bjp નેતા ને તેની કાર માં પૂરી ને સળગાવી ને આપી દર્દનાક મોત, પોલીસે આરોપી ની શોધખોળ શરૂ કરી દીધી છે

તેલંગાણામાં ભાજપના એક ભૂતપૂર્વ સ્થાનિક નેતાને મેડક જિલ્લામાં અજાણ્યા શખ્સોએ જીવતા સળગાવી દીધા હતા. તેમની ઓળખ વી શ્રીનિવાસ પ્રસાદ તરીકે થઈ છે. કારમાંથી ભાજપના નેતાનો મૃતદેહ બળેલી હાલત માં મળી આવ્યો હતો. કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે.

મેડકના એસપી ચંદના દીપ્તિએ કહ્યું કે, ‘શ્રીનિવાસને સવારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેની કાર માં અંદર બંધ કરી ને સળગાવી દીધો હતો. જ્યારે અમને ઘટનાની જાણ કરવામાં આવી ત્યારે અમારી ટીમ ઘટના સ્થળ પ પહોંચી અને અમે જોયું કે શ્રીનિવાસનો મૃતદેહ કાર ની ડીકી માં બળેલી હાલત માં હતો. આરોપીએ કાર સાથે શ્રીનિવાસને સળગાવી દીધો હતો. આ કૃત્ય કરનારની શોધખોળ ચાલુ છે.

વી શ્રીનિવાસ પ્રસાદ ભાજપના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ તેમજ ઉદ્યોગપતિ હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button