રમત ગમત

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધવન કેપ્ટન અને જાડેજા વાઇસ કેપ્ટન, સીનીયર ખેલાડીઓને આરામ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ODI ટીમની જાહેરાત કરી છે. વનડે સીરીઝ માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે, સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમ 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રહેશે. આ દરમિયાન ટીમ ત્રણ વનડે અને પાંચ ટી-20 રમશે.

શિખર ધવન આ પહેલા પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચુક્યા છે. તેમને ગયા વર્ષે શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી. આ પ્રવાસમાં પણ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ હતા. ટીમ ઈન્ડિયાને નવો વાઈસ કેપ્ટન પણ મળ્યો છે. રવિન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ODI ટીમના વાઇસ કેપ્ટન હશે. તેમને પ્રથમ વખત આ જવાબદારી સોંપવામાં આવી છે. જો કે ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

વનડે સીરીઝ માટે ભારતીય ટીમ : શિખર ધવન (કેપ્ટન), રવીન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રશિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

BCCI એ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ODI સીરીઝ માટે વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપ્યો છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. આ તમામ ખેલાડીઓ 12 જુલાઈથી 17 જુલાઈ સુધી ઈંગ્લેન્ડ સામેની ODI સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં છે.

 

[quads id=1]

Related Articles

Back to top button