ભારતમાં ઘણા પ્રકારના ચાના રસિયાઓ જોવા મળે છે. કેટલાક લોકો દૂધ સાથે ચા અને કેટલાક બ્લેક અથવા ગ્રીન ટી પીવાનું પસંદ કરી. ભારતમાં મોટાભાગના લોકો દૂધની ચા પીવાનું પસંદ કરે છે પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે ચાની ઘણી જાતો છે, જે તમારે પીવી જોઈએ. આવી જ એક ચા વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે ઘણા બધા ગુણોથી સમૃદ્ધ છે. અમે જે ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે નારંગીની છાલની ચા છે. જેને આપણે સામાન્ય રીતે ફેંકી દઈએ છીએ, તેમાં ઘણા બધા પોષક તત્ત્વો ભરેલા હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ આરોગ્યપ્રદ હોય છે. નારંગી છાલની ચા રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સૌથી સહેલો રસ્તો છે.
સામગ્રી
ચા કેવી રીતે તૈયાર કરવી
સૌ પ્રથમ ઊંડા વાસણમાં પાણી રેડો અને ગેસને મધ્યમ તાપ પર ગરમ કરી લો. હવે નારંગીની છાલ અને અન્ય મસાલા ઉમેરો. આ ચાને 2 થી 3 મિનિટ સુધી પકાવો અને પછી ગેસ બંધ કરો. એક કપમાં ચાને ફિલ્ટર કરી લો અને તેમાં મીઠાઇ માટે ગોળ ઉમેરો. પછી તેને બરાબર મિક્ષ કરી લો. તો હવે તૈયાર છે નારંગી યુક્ત ચા…
નારંગીની છાલની ચાના ફાયદા
લિમોનેન નામનું કમ્પાઉન્ડ નારંગીની છાલમાં જોવા મળે છે, જે આવશ્યક તેલથી 97 ટકા સમૃદ્ધ છે. તે કુદરતી રીતે બળતરા વિરોધી અને કેન્સર વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ છે. તેને જ્યારે આહારમાં ઉમેરવામાં આવે છે, ત્યારે પેટની બળતરા, પેટનું ફૂલવું અને ત્વચા કેન્સર જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…