મનોરંજનસમાચાર

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા શોનું શૂટિંગ અટવાયું જાણો તેની પાછળનું રહસ્ય..  

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે આજે ખુબજ દુખ ના સમાચાર સામે આવ્યા છે. હાલમાં થોડા સમય પૂરતું આ શો નું શૂટિંગ બંધ રાખવામાં આવ્યું છે. કારણકે આ શો ના 2 કલાકારો બીમાર પડ્યા છે. તારા મહેતા શો ના જાણીતા કલાકાર માંદાર ચંદવાડકર જે આ શો માં આત્મારામ ભીડેનો રોલ ભજવી રહ્યા છે. 

તે હાલ અચાનક બીમાર પડી ગયા છે. અને બીજી તરફ રાજ અનડક્ટ જે ટપ્પુ નો રોલ ભજવી રહ્યા છે. તેને શૂટિંગ સમય દરમિયાન અચાનક ઠંડી ચડતા તે પણ બીમાર પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. માંદારને હાલ સામાન્ય શરદી થઈ હોવાનું સામે આવ્યું છે. 

અત્યારે ગણપતિ ઉત્સવના કેટલાક શો નું શૂટિંગ શરૂ થવાનું હતું. પરંતુ આ સ્તિથિને ધ્યાનમાં રાખીને કોવિડ-19 પ્રોટોકોલને કારણે તેને ઘરે રહીને આરામ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. બીજી તરફ રાજ પણ શૂટિંગ પર પહોંચ્યો ન હતો. તેની તબિયત પણ બગડી હોવાનું બહાર આવ્યું છે. 

બે કલાકારોની તબિયત નબળી હોવાના કારણે હવે લોકપ્રિય સિરિયલનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. ટીમના એક સભ્યના જણાવ્યા અનુસાર સાવચેતી માટે આ પગલું લેવામાં આવ્યું છે. નિર્માતાઓ નથી ઇચ્છતા કે વધુ લોકો બીમાર પડે. સાથે જ માર્ગદર્શિકાનું પણ ધ્યાન રાખવાનું રહેશે.

[quads id=1]

Related Articles

Back to top button