બોલિવૂડમનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંતે દયાભાભીની થશે એન્ટ્રી, તેમનો રોલ આ લોકપ્રિય અભિનેત્રી નિભાવશે

ટીવી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દયાબેનની ટૂંક જ સમયમાં વાપસી થવા જઈ રહી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, દિશા વાકાણી ફરી એક વખત દયાબેનના અવતારમાં એન્ટ્રી થશે પરંતુ આ સમાચાર તેના ખૂબ જ અલગ આવ્યા છે. કેમકે દયાબેન નું પાત્ર એક નવી અભિનેત્રી દ્વારા નિભાવવામાં આવશે.

થોડા દિવસો અગાઉ ઇ-ટાઇમ્સ સાથેની વાતચીતમાં અસિત મોદીએ જણાવ્યું હતું કે, ‘શોમાં દયાબેનનું પાત્ર પાછું આવવાનું છે, પરંતુ દિશા વાકાણી તેને ભજવશે નહીં. દિશાના રિપ્લેસમેન્ટ માટે ઓડિશન ચાલી રહ્યા છે અને ટૂંક જ સમયમાં નવી અભિનેત્રીની પસંદગી કરવામાં આવશે. હવે સૂત્રો દ્વારા જાણકારી સામે આવી છે કે, દયાબેનના રોલ માટે અભિનેત્રી ફાઈનલ થઈ ગઈ છે. 90 ના દાયકાની લોકપ્રિય સીરીયલ ‘હમ પાંચ’ માં સ્વીટી માથુરનો રોલ નિભાવનાર અભિનેત્રી રાખી વિજનને દયાભાભીના રોલ માટે પસંદ કરવામાં આવી છે.

 

તમને જણાવી દઈએ કે, શોના દર્શકો લાંબા સમયથી તેમની ફેવરિટ દયા ભાભી એટલે કે દિશા વાકાણીને લાંબા સમયથી મિસ કરી રહ્યા છે. દિશા વાકાણીએ લાંબા સમય સુધી આ પાત્ર ભજવ્યું હતું. દિશા વાકાણીએ સપ્ટેમ્બર 2017 માં મેટરનિટી બ્રેક લીધો હતો અને તે ક્યારેય પાછી આવી નથી. ત્યારથી મેકર્સ અને ચાહકો તેની રાહ જોઈ રહ્યા હતા. ઘણી વખત સમાચાર આવ્યા હતા કે, દિશા પુનરાગમન કરી રહી છે પરંતુ હવે તેની વાપસીની તમામ શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ છે.

મેકર્સે દયાબેનનું પાત્ર ભજવવા માટે રાખી વિજનનો સંપર્ક કર્યો હતો. તેમની કોમિક ટાઈમિંગ સારી છે. તે અગાઉ ‘દેખ ભાઈ દેખ’, ‘બનેગી અપની બાત’, ‘નાગિન 4’ જેવા શોનો ભાગ રહી ચૂકી છે. તેણે ‘ગોલમાલ રિટર્ન્સ’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તે ‘બિગ બોસ 2’નો ભાગ પણ રહી ચૂકી છે.

[quads id=1]

Related Articles

Back to top button