ગુજરાત

સુરતમાં દૂષિત પાણીથી સેંકડો લોકોનું આરોગ્ય જોખમમાં, તાવ- ઝાડા-ઊલટીના કેસમાં એક સાથે વધારો

ગુજરાતના સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી વરાછા વિસ્તારમાં આવેલ પુણા સીતાનગર ચોકમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં નગર પાલિકાના પાણીની લાઇનમાંથી દૂષિત પાણી આવતા રહીશોના ઘરોમાં ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવાના કેસો આવ્યા છે, સોસાયટીમાં પાણીન આવવાની  ફરિયાદ નગર પાલિકામાં કરી હતી પરંતુ પાણી ધીમુ આવતું હોવાની ફરિયાદ કર્યા પછીના બે દિવસથી પાણી આવ્યું હતું.

પાણી આવ્યું તો ખરું પણ પાણી શુદ્ધ ન હોવાથી પાણી દૂષિત અને પીળા રંગનું જોવા મળ્યું હતું જેના લીધે રહીશો બીમાર પડી રહ્યા છે. એજ વિસ્તારમાં ચામુંડા નગરમાં રહેતાં રમેશભાઈ દવે અને તેના પરિવારમાં 5 વ્યક્તિઓને ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં બીમાર થયા છે.

પાસે નજીકમાં રહેતા ગુણવંતભાઈ વેકરીયાના પરિવારને  પણ પાણી વાપરવાથી આવી જ બીમારી સામે આવી છે. એકજ સોસાયટીના 150 ઘરોમાં દૂષિત પાણી આવતું હોવાથી 500 લોકોના સ્વાસ્થય સાથે ચેડાં થઇ રહ્યા છે, તેમ છતાં નગર પાલિકાએ હજી સુધી કોઈ પગલાં ન લેતા રહીશો રોષે ભરાયા છે.

દુલાભાઈ હિરપરા જે આ સોસાયટીના પ્રમુખ છે તેમને જણાવ્યું હતું  કે, સોસાયટીમાંથી પસાર થતી ગટર લાઈનની સાથે પીવાના પાણીની લાઈન સાથે થઈ જતાં પીવાનું પાણી આ કારણે ગંદુ આવે છે. આ બાબતે અમે  પાલિકાને જાણ કરી હતી હજુ પણ પાલિકા તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. નગર પાલિકાનું કહેવું છે કે, ચામુંડાનગરમાં પાણી ખરાબ આવે છે તેની કોઈ  ફરિયાદ હજુ અમારા પાસે આવી નથી. આ બાબતે આવતીકાલે તપાસ કરીને જરૂરી કાર્યવાહી શરૂ કરશું.

 

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago