બોલિવૂડ

Sumona Chakravarti એ છોડ્યો કપિલ શર્મા શો? નવા શોનો પ્રોમો કરી રહ્યો છે ઈશારો

Sumona Chakravarti એ છોડ્યો કપિલ શર્મા શો? નવા શોનો પ્રોમો કરી રહ્યો છે ઈશારો

ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ‘ધ કપિલ શર્મા શો’ બંધ થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. કોમેડી શો બંધ થવાના સમાચારથી પરેશાન ફેન્સને હવે વધુ એક ઝટકો લાગવા જઈ રહ્યો છે. શો બંધ થવાના સમાચાર પર અત્યાર સુધી નિર્માતાઓ અને કપિલ શર્માની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તે જ સમયે, એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, કપિલ શર્મા શોની કોમેડિયન સુમોના ચક્રવર્તી કોમેડી શો છોડી રહી છે. સુમોના ચક્રવર્તી કપિલ શર્માનો સાથ છોડીને એક નવા ટીવી શોનો હાથ પકડી લીધો છે.

સુમોના ચક્રવર્તીના કોમેડી શોમાંથી બહાર થવાના સમાચાર પાછળનું કારણ તેનો નવો શો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સુમોનાના નવા શોનો પ્રોમો રિલીઝ થયો છે. ત્યારથી સુમોનાએ કપિલ શર્મા શો છોડી દીધો હોવાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર તેજ થઈ ગઈ છે. સુમોના હવે એક બંગાળી ટીવી શોમાં જોવા મળવાની છે.

Zeegest ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘બંગાલ શોના’ નામના શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં સુમોના ચક્રવર્તી જોવા મળી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સુમોના ચક્રવર્તી આ શોમાં બંગાળની શોધખોળ કરતી જોવા મળશે. આ શોમાં રેટ્રો અને આધુનિક સંસ્કૃતિનું મિશ્રણ જોવા મળશે. જીજેસ્ટનો નવો શો 30 માર્ચથી રાત્રે 8 વાગ્યે ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે.

સુમોના ચક્રવર્તીના નવા શોનો પ્રોમો સામે આવ્યા બાદ નેટીઝન્સમાં એવી ચર્ચા થઈ રહી છે કે, સુમોના કપિલ શર્મા શોમાંથી સુમોના ચક્રવર્તી બહાર થઈ રહી છે. તેમ છતાં કપિલ શર્માની ટીમ અને સુમોના ચક્રવર્તી તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago