બોલિવૂડ

તો શું આ વર્ષે જ વાગી જશે ‘પુષ્પા’ અભિનેત્રીના લગ્નની શરણાઈ? રશ્મિકા મંદાનાએ કર્યો ખુલાસો

તો શું આ વર્ષે જ વાગી જશે 'પુષ્પા' અભિનેત્રીના લગ્નની શરણાઈ? રશ્મિકા મંદાનાએ કર્યો ખુલાસો

પુષ્પા ધ રાઇઝ ફિલ્મથી ધૂમ મચાવનારી અભિનેત્રી રશ્મિકા મંદાનાનું નામ હાલમાં દરેકના મોઢે સાંભળવા મળી રહ્યું છે, રશ્મિકાએ શ્રીવલ્લીના પાત્રથી બધાનું દિલ જીતી લીધું છે. તેના ડાયલોગ્સ અંદાજ અને પુષ્પા (અલ્લુ અર્જુન) સાથેની તેની કેમિસ્ટ્રીને ચાહકોએ ખૂબ જ વખાણી છે. શ્રીવલ્લી એટલે કે રશ્મિકા લોકોના દિલ પર રાજ કરી રહી છે. હવે તેના ચાહકો તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની અંગત જિંદગી વિશે પણ ઘણો રસ દાખવી રહ્યા છે. ફેન્સ તેના લાઇફ લગ્ન વિશે જાણવા માટે પણ ખૂબ જ ઉત્સાહિત થઇ રહ્યા છે.

હાલમાં લગ્ન માટે…

હાલમાં, રશ્મિકા મંદાનાએ તેના આપેલા એક ઇન્ટરવ્યુમાં તેના લગ્ન વિશે એક મોટું રહસ્ય ખોલ્યું છે. જી હા, રશ્મિકા લગ્નના સવાલ પર કહે છે કે ‘હું લગ્ન કરવા માટે અત્યારે ઘણી નાની છું’. મને નથી ખબર કે આ વિશે હું શું વિચાર કરું, મેં અત્યાર સુધીમાં આ વિશે કશુ વિચાર્યું નથી, પરંતુ હા આ પ્રશ્ન પૂછ્યો છે, તો હું તમને જણાવી દઉં કે મને મારા જીવનમાં એક એવી વ્યક્તિ જોઈએ છે જે મને કમ્ફર્ટેબલ અહેસાસ કરાવે.

પ્રેમ એક ફીલિંગ (લાગણી) છે

રશ્મિકા તેના પ્રેમ અને લાઈફ વિશે જણાવતાં કહે છે કે ‘પ્રેમ એ છે જે એકબીજાને સન્માન આપે. એકબીજાને સમય આપે. તમે એકબીજાને સુરક્ષિત અનુભવ કરાવે. પ્રેમ વિશે વધુ કંઈ કહેવું મુશ્કેલ છે કારણ કે તે એક અહેસાસ છે, એક ફીલિંગ છે અને જો આવું કંઈ ન થાય તો પછી દાળ ગળતી નથી.

અમિતાભ બચ્ચન સાથે મળશે જોવા

રશ્મિકાના કામની વાત કરીએ તો તે હવે જલ્દી જ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં નજર આવશે, ત્યારબાદ તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે, તેમના ચાહકોને તેની આ ફિલ્મની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago