જાણવા જેવું

વસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં સાવરણી રાખો આ જગ્યાએ, નહીં તો જીવનભર આવી શકે છે નુકશાન

દરેક ઘરમાં સાવરણીની જરીરુયાત રહેતી હોય છે. સાવર્ણીનો ઉપયોગ આપણે ફક્ત કચરો સાફ કરવા માટે જ થાય છે. અને કચરો કાઢી લીધા બાદ તેને ખૂણામાં ફેકી દઈએ છીએ. સાવરણી એ માતા લક્ષ્મીનું પ્રતિક પણ છે. એક નાની એવી સાવરણીથી પણ આપણી કિસ્મત બદલાઈ શકે છે. મહેનત ઘણા લોકો કરે છે તે પ્રમાણે યોગ્ય આવક મળતી નથી કારણ કે ઘરમાં લક્ષ્‍મી ટકતી જ નથી એવી ફરિયાદ પણ થતી હોય છે ત્યારે સામાન્ય સાવરણીથી પણ તમારી કિસ્મત ચમકી શકે છે.

હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સાવરણી ખરીદવા માટે પણ યોગ્ય દિવસ જોવો જોઈએ કારણ કે સાવરણીથી જ ઘરમાં માતા લક્ષ્‍મીનો વાસ થતો હોય છે.જો તમે આ દિવસે સાવરણીની ખરીદી તમે શનિવાર, મંગળવાર અને રવિવારના દિવસે કરો તો શ્રેષ્ઠ છે. જો તમે શનિની સાડાસાતીથી પીડાઈ રહ્યા હોય તો શનિવારના દિવસે સાવરણી ન ખરીદવી જોઈએ, કારણ કે શનિવારે સવારની ખરીદવાથી શનિદેવનો પ્રકોપ વધી શકે છે.

જો તમે શુક્રવારના દિવસે સાવરણીને બહાર ફેંકો છો તો તે ઘણું જ અશુભ માનવામાં આવે છે કારણ કે એ દિવસ માતા લક્ષ્‍મીનો દિવસ હોય છે અને જૂની સાવરણી સાથે લક્ષ્‍મી મા પણ તમારા ઘરમાંથી વિદાય લઈ લે છે. સવારની બહાર ફેંકવા માટેનો શ્રેષ્ઠ દિવસ શનિવારનો માનવામાં આવે છે જો આ દિવસે તમે સાવરણી બહાર ફેંકો છો તો તમારા ઘરની ગરીબી પણ તેની સાથે જ ચાલી જાય છે.

જો લક્ષ્‍મી માતાજીની કૃપા તમારા ઘર ઉપર બનાવી રાખવા માંગો છો તો જયારે પણ સાવરણી ખરીદો ત્યારે એ સાવરણી ઉપર એક સફેદ રંગનો દોરો પણ બાંધી દેવો જોઈએ. જેનાથી લક્ષ્‍મી માતાજી પણ ઘરની બહાર નથી જતા. શનિવારના દિવસે સાવરણીનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.નવી સાવરણી વાપરતા પહેલા તેને ઘરની બહારના મુકવી અને ઘરમાં પણ એ રીતે રાખવી જેનાથી કોઈની નજર પણ ના પડે.

જ્યારે સવારે સૂર્યની પ્રથમ કિરણો આવતી હોય છે, ત્યારે તે સમયે સફાઇ કરવી જોઈએ. જો તમે સૂર્યોદય પહેલાં તે કરવામાં અસમર્થ છો, તો પછી સૂર્યાસ્ત પહેલાં દસ મિનિટ પહેલાં સફાઇ કરો. સૂર્યાસ્ત પછી ભૂલથી પણ નહીં કરો કારણ કે એવું કહેવામાં આવે છે કે આવનારા સમયમાં ખરાબ દિવસ આવશે. ક્યારેય ઘરમાં દીવો પ્રગટાવ્યા પછી, પૂજા કર્યા પછી, જમ્યા પછી સાવરણીથી કચરો બહાર ન કાઢો.

સાવરણીને હંમેશાં એવી જગ્યાએ રાખવી જોઈએ કે તમારી પોતાની નજર ત્યાં ન પહોંચે, તે જોઈને મૂકવી, કે કોઈ તમારા ઘરના સભ્યો અને તમારા ઘરે આવેલા મહેમાનોની નોંધ ન આવે. ઘરમાં ક્યારેય સાવરણી રસોડામાં, પૂજાગૃહમાં અને બેડરૂમમાં બિલકુલ રાખવી જોઈએ નહીં.હમેશા તેને દરવાજાની પાછળ મૂકી શકો છો. રાત્રે મુખ્ય દ્વાર પર એક સાવરણી મૂકો, જેથી બહારથી આવતી નકારાત્મક ઉર્જા અંદર ના આવે.

પગરખાં મૂકવાની જગ્યાએ અથવા મુખ્ય દરવાજા પર પણ સાવરણી ન મૂકો, અને તેને ઘરની છત પર ન મૂકો.સાવરણીને ક્યારેય ઉભી રાખવી જોઈએ નહીં. કારણ કે આમ કરવાથી ઘરમાં ઝઘડા થાય છે. સાવરણી અને કચરાપેટી ક્યારેય સાથે રાખશો નહીં. સાવરણી સૂકાયા પછી જ ભીનું ન રાખવું જોઈએ.

જે રીતે ધનને છુપાવીને મુકવામાં આવે છે એ જ રીતે સાવરણીને હંમેશા ઘરની પાછળ સંતાડીને રાખવી જોઈએ સાવરણીને હંમેશા ઘરમાં આડી મુકવી જોઈએ. ઉભી સાવરણી મુકવી અશુભ માનવામાં આવે છે. શુક્રવારે સાવરણી ખરીદીને ઘરમાં લાવવાથી ઘરમાં બરકત રહે છે. સાવરણીને મુકવાનુ સૌથી યોગ્ય સ્થાન ઘરનો દક્ષિણ-પશ્ચિમ ખૂણો છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમારે નવી સાવરણી ખરીદવી હોય તો તમારે તે શનિવારે લેવી જોઈએ. શનિવારે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. આ સાથે દેવી લક્ષ્મીની સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય છે.સાવરણીને ખુલ્લી જગ્યાએ અથવા એવી જગ્યાએ ન રાખવી જોઈએ જ્યાં દરેક જોઈ શકે. એવું માનવામાં આવે છે કે સાવરણીને ખુલ્લામાં રાખવાથી પૈસાની ખોટ થાય છે.

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, સાવરણી હંમેશાં દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, સાવરણીને આ દિશામાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાતી નથી.સાવરણી ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સાવરણીને આ દિશામાં રાખવાથી ઘરમાં દેવતાઓનું આગમન થતું નથી.

જો ભૂલથી ક્યારેય સાવરણીને પગ લગાવવો જોઈએ નહીં. તેનાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. સાવરણીનો અનાદર માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જો તમે ક્યારેય આકસ્મિક રીતે ઝાડુ પર પગ મૂક્યો હોય, તો નમન કરી માફી માગી લેજો.

વાસ્તુ શાસ્ત્ર મુજબ તૂટેલી સાવરણીનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઇએ. જો સાવરણી તૂટે કે તેને તરત જ બદલવી જોઈએ. ઘરને ખરાબ અથવા તૂટેલા સાવરણીથી સાફ કરવાથી પરિવારને નુકસાન થાય છે અને આર્થિક મુશ્કેલીઓ પણ થઈ શકે છે.

જો તમારા ઘરમાં એક સાવરણી ઘણા દિવસોથી પડેલી છે અને તેનો ઉપયોગ નથી થતો, તો તેને દૂર કરવું જોઈએ. ક્યારેય જૂની સાવરણી ઘરમાં રાખવી નહીં, ભલે તે જૂની હોય. જો તમે ભાડે મકાનમાં રહેશો અથવા ભાડેથી અથવા નવા મકાનમાં પ્રવેશ કરો છો, તો ત્યાં વપરાયેલી સાવરણી છોડશો નહીં, જો તમે આમ કરશો તો લક્ષ્મી તમારું જૂનું ઘર છોડી દેશે.તેથી ઘર છોડતી વખતે સાવરણી પણ સાથે લઈ લો.

 

Gayatri Patel

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago