સ્વાસ્થ્ય

સવારે ખાલી પેટે ખાઈ લો તુલસીના બે પાન, 15 દિવસમાં જોવા મળશે જબરદસ્ત ફાયદા…

તુલસીમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે. તેનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં પણ થાય છે. હૃદયરોગ, શરદી અને કફમાં તુલસીનો ઉપયોગ કરવાથી ઘણી રાહત મળે છે. ઘરમાં તુસલી લગાવવી શુભ માનવામાં આવે છે. આ છોડ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ સાથે ખાસ જોડાણ ધરાવે છે, તેમ જ તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

જો તમે દરરોજ સવારે તુલસીના પાન ખાવાની ટેવ પાડશો, તો તે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. આનાથી શરદી, ઉધરસ, પાચન જેવી સમસ્યાઓ પણ દૂર થશે.

તુલસીના પાન પાચને યોગ્ય રાખવામાં મદદ કરે છે. આ સાથે તે એસિડિટી અને પેટમાં બળતરાની સમસ્યા પણ રાખે છે. તુલસી શરીરના પીએચ સ્તરને જાળવવામાં પણ મદદગાર છે.

અધ્યયનો અનુસાર તુલસીના પાંદડામાં હાજર એડેપ્ટોજેન તાણને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તે નર્વસ સિસ્ટમ હળવી કરીને લોહીના પ્રવાહમાં સુધારો કરે છે. તુલસીના પાન માથાના દુખાવામાં પણ રાહત આપે છે. તણાવ અને માથાનો દુખાવોની સમસ્યાનો સામનો કરવા માટે, રોજ સવારે 2-3 તુલસીના પાન ખાલી પેટ પર ખાવા જોઈએ.

શ્વસન સમસ્યાઓ

તુલસી શ્વસન સમસ્યાઓના ઉપચારમાં ખૂબ ઉપયોગી છે. મધ, આદુ અને તુલસીનો બનેલો ઉકાળો પીવાથી બ્રોંકાઇટિસ, અસ્થમા, કફ અને શરદીમાં રાહત મળે છે. આ સિવાય મીઠું, લવિંગ અને તુલસીના પાનથી બનેલો ઉકાળો ઈન્ફલ્યુએન્ઝામાં ત્વરિત રાહત આપે છે.

મૂત્રપિંડની પથરી

તુલસી કિડનીને મજબૂત બનાવે છે. જો કોઈની કિડનીમાં પથરી બની ગઈ હોય, તો તેને મધ સાથે મિક્ષ કર્યા પછી તુલસીનો અર્ક નિયમિત લેવો જોઈએ. આવું કરવાથી છ મહિનામાં ફરક જોવા મળશે.

હૃદય રોગ

તુલસી લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે. આવી સ્થિતિમાં, તે હૃદયના દર્દીઓ માટે ખૂબ અસરકારક છે.

તણાવ

તુલસીના પાંદડામાં પણ એન્ટિ-સ્ટ્રેસ ગુણધર્મો જોવા મળે છે. તાજેતરનાં સંશોધન બતાવે છે કે તુલસી તણાવ સામે રક્ષણ આપે છે. તણાવને પોતાનાથી દૂર રાખવા માટે, વ્યક્તિએ દરરોજ બે વખત તુલસીના પાન ખાવા જોઈએ.

[quads id=1]

Related Articles

Back to top button