ધાર્મિક

શું તમે જાણો છો રુદ્રાભિષેક નું મહત્વ અને તેનાથી મળતા પુણ્ય વિષે? શ્રાવણ માસ મા એક વાર અચૂક વાંચવા જેવો લેખ

ભગવાન શિવના રુદ્રાભિષેક કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ગ્રહદોષ અને રોગોથી પણ મુક્તિ મળી જાય છે. રુદ્રહૃદયોપનિષદ અનુસાર સર્વ દેવતાઓ આત્મામાં રુદ્ર હોય છે અને બધા દેવતા રુદ્ર હોય છે.

અર્થમાં બધા દેવતાઓ આત્મામાં રુદ્ર છે અને બધા દેવતા રુદ્રની આત્મામાં છે. જેમ કે મંતવ્યથી સાફ થાય છે તે રુદ્ર પણ હોય છે. રુદ્રાભિષેકમાં ભગવાન શિવના રુદ્ર અવતારની પૂજાની થાય છે. તે ભગવાન શિવનું સ્વરૂપ છે સમસ્ત ગ્રહ બાધાઓ અને સમસ્યાઓ નાશ કરે છે. શ્રાવણ મહિનામાં રુદ્ર પણ સૃષ્ટિનું કાર્ય કરે છે અશુભ ગ્રહોનો પ્રભાવ જીવન પર ચાલી રહ્યો હોય, પરેશાની ખૂબ હોય, આ બધી વિપદા રુદ્ર અભિષેક કરવાથી દૂર થાય છે ને પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે.

આ મંત્ર સાથે ભગવાન શંકરને કોઇપણ રુદ્રાભિષેક કરવાથી તેનું ફળ અચૂક મળતું હોવાનું જ્યોતિષ કહે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ પ્રિય છે, તેથી આ મહિનામાં શુદ્ધ હૃદય અને મનથી ભગવાન શિવની પૂજા કરો. જ્યારે પણ તમે ભગવાન શિવની પૂજા કરો છો, ત્યારે તેમનો અભિષેક કરવાનું ભૂલશો નહીં અથવા તેમનો રુદ્રાભિષેક કરો.તેનાથી વિશેષ લાભ થશે. આ પવિત્ર શ્રાવણ મહિનામાં જ્યારે પણ તમને સમય મળે, ભગવાન શિવના પંચાક્ષર મંત્રનો જાપ કરીને ભગવાન શિવનું ધ્યાન કરો.

રુદ્રાભિષેક બહુ નાનો પણ મોટી સિદ્ધિ આપનારો છે. મહાભારતના યુદ્ધ વખતે શ્રીકૃષ્ણે અર્જુનને બતાવેલ અને બંનેએ સાથે કરેલો.
આ અગિયાર શ્લોકને અગિયાર વાર કરવાથી 1 રુદ્રનું ફળ મળે છે. 111 વાર કરવાથી લઘુરુદ્ર નું ફળ મળે છે 1011 વાર કરવાથી એક અતિરુદ્ર નું ફળ મળે છે.

તેનાથી ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન થશે.ભગવાન શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કરો જેમ કે બિલીપત્ર, ભાંગ, ધતુરો. ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા અર્ચના કરો. સાંજે શિવ પાર્વતીની બંનેની આરતી કરો. શ્રાવણ મહિનામાં સોમવારનું ઘણું મહત્વ છે કારણ કે સોમવાર ખાસ ભગવાન શિવને સમર્પિત છે અને શ્રાવણમાં આવતા સોમવારનું મહત્વ અનેરું હોય છે.

શ્રાવણ મહિના ઉપવાસ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો આવી સ્થિતિમાં શ્રાવણમાં આવતા સોમવારનો ઉપવાસ રહો. મીઠું અને અન્ન ગ્રહણ ન કરો, માત્ર ફળોના આહાર પર કરો. જો તમે રુદ્રાક્ષ ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો શ્રાવણ મહિનાથી વધુ સારો સમય બીજો કોઈ જ નથી. શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં દૂધની વસ્તુઓ જેમ કે ઘી, દહીં વગેરેનું દાન કરવાથી લાભ થાય છે. ઘરને સ્વચ્છ કરી દરરોજ સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરી શિવની પૂજા કરો.

શ્રાવણ માસ દરમિયાન ટાળવા જેવી બાબતોમાં આ મહિનામાં ભૂલથી પણ માંસ અને નશાનું સેવન ન કરો નહીં તો ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થાય છે. શ્રાવણ મહિનામાં શરીરને તેલથી માલિશ કરવું નિષેધ કરવો. આ પવિત્ર મહિના દરમિયાન બપોરે સૂવું નહિ. શ્રાવણ મહિનામાં દાઢી અને વાળ કપાવવા નહીં. શ્રાવણ મહિનામાં ડુંગળી અને લસણ જેવા તામસિક ખોરાક લેવાનું ટાળવું જોઈએ. ભગવાન શિવને તુલસીના પાન ક્યારેય ન ચઢાવવા જોઈએ.

[quads id=1]

Related Articles

Back to top button