સમાચાર

રોડ અકસ્માતમાં બે માસૂમ બાળકોની સામે જામનગર નિવાસી પિતાનું મૃત્યુ, માતાની હાલત પણ ગંભીર…

આજના સમયમાં કોણ કેટલા સમય સુધી જીવિત રહે છે, તેના વિશે કંઈ કહી શકાય નહીં. કારણ કે આજના આધુનિક સમયમાં બધું ઝડપી થઇ ગયું છે. આ સિવાય રોજબરોજ અકસ્માતો પણ દિવસે દિવસે વધી રહ્યા છે.

આજ ક્રમમાં જામનગર ના ભાવભી ખીજાડિયા ગામની જોડે એક ભારે અકસ્માત થયો હતો. આ અકસ્માત બે કારના સામે સામે ટકરાવવાને લીધે થયો હતો. જેમાં બે માસૂમ બાળકોની સામે એક પિતાએ જીવ ગુમાવ્યો હતો.

આ સાથે માતાની હાલત પણ ગંભીર થઇ ગઇ હતી. જેના પછી તેમને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. જ્યારે તેમની સામેની કારમાં બે યુવતીનો સહિત એકને ઈજા થઈ હતી. જ્યારે આ બંને બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

સૂત્રો પ્રમાણે માહિતી મળી છે કે કાલાવાડ તહસિલમાં રહેતા વિજયભાઈ જૈન તેમની પત્ની અને બે બાળકો સાથે જૂનાગઢ જવા નીકળ્યા હતા, આવામાં તેઓનું ખીજડીયા ગામની નજીક એક કાર સાથે ટકરાઈ ને અકસ્માત થયું હતું.

આ કાર અકસ્માતમાં પતિ તથા પત્ની આગળની સીટ પર બેઠેલા હોવાને લીધે ભારે ઈજાઓ થઈ હતી, જ્યારે તેમના બાળકો પાછળ હોવાને લીધે તેઓનો થોડોક બચાવ થયો હતો. આ ક્રમમાં પતિનું મૃત્યુ થયું હતું અને પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સામેની કારમાં ચાલક તેની બે ભત્રીજીઓ સાથે કારમાં હતો, તેમને પણ થોડીક ઈજાઓ પહોંચી હતી અને તેમને જામનગર ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ભયજનક અકસ્માત થયા બાદ ગામ લોકોએ રડવાનો અવાજ સાંભળ્યો હતો અને તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ 108 બોલાવીને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના જોઈને પાંચ વર્ષની પુત્રી રડવા લાગી હતી અને સમગ્ર માહોલમાં ખળભળાટ મચી ગયો હતો. આ સાથે તેના 11 વર્ષીય ભાઈએ તેને ગળે લગાવીને હૂંફ આપતા કહ્યું હતું કે ભગવાન આપણા થી નારાજ થઈ ગયા છે પણ હું છું ને…

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago