બોલિવૂડમનોરંજન

બે વર્ષ બાદ કામ પર ફરત ફરેલ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર લખ્યો ખાસ મેસેજ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાનને બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે. જયારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ ચર્ચામાં રહેલી રિયા ચક્રવર્તી ફરીથી બે વર્ષ બાદ કામ પર પરત ફરી છે. સુશાંત સિંહ રાજપૂતના અવસાન તપાસ દરમિયાન ડ્ર્ગ્સ કેસમાં ફસાયેલ રિયા ચક્રવર્તીએ હવે ફરીથી કામ શરૂ કરી દીધું છે.

અભિનેત્રી દ્વારા તેના માટે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને ચાહકોને આ અંગે જાણકારી આપી છે. રિયા ચક્રવર્તી દ્વારા વિડીયો શેર કરવાની સાથે એક કેપ્શનમાં શુભેચ્છકોનો આભાર પણ માનવામાં આવ્યો છે. આ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, કાલે મે 2 વર્ષ બાદ ફરી કામ શરૂ કર્યું છે. તે લોકોનો આભાર વ્યક્ત કરું છું જે મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહ્યા હતા. સૂર્ય હંમેશા પ્રકાશ જ આપે છે. તે ક્યારેય હાર માનતો નથી.

અભિનેત્રી દ્વારા શેર કરવામાં વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, રિયા ચક્રવર્તી સ્ક્રિપ્ટ વાંચતી અને રેકોર્ડિંગ કરતી દેખાઈ રહી છે. એવામાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, રિયા કોઈ રેડિયો ચેનલ સ્ટુડિયોમાં રહેલી છે. આ દરમિયાન તે હસતાં અને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. આ અગાઉ રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસે તેને યાદ કરીને વિડીયો પણ શેર કર્યો હતો. તેમાં બંને રિયા-સુશાંત જીમમાં દેખાઈ રહ્યા હતા.

નોંધનીય છે કે, સુશાંત સિંહ અવસાન બાદ બોલીવુડમાં ડ્રગ્સ રેકેટનો મોટો ખુલાસો થયો હતો. તે કેસમાં રિયા અને એના ભાઈની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી અને તેની સાથે તેમને જેલ ભેગા પણ કરવામાં આવ્યા હતા. આ કેસમાં ફસાયા બાદ અનેક અભિનેતા અને અભિનેત્રી તેના સપોર્ટમાં આવ્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button