બોલિવૂડસમાચાર

રણબીર કપૂર કોરોના પોઝિટિવ, ચાહકોનો આપ્યો આ સંદેશ

છેલ્લા એક વર્ષથી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. માત્ર સામાન્ય લોકો જ નહીં ઘણા સેલિબ્રિટીઝ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આપણે હવે ન્યૂ નોર્મલ સ્વીકારી લીધું છે અને તેમાં ગોઠવાઈ ગયા છીએ છતાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે સ્થિર થઈ ગયેલી દુનિયા ફરી દોડવા લાગી છે. ભારતમાં પણ લોકડાઉન બાદ ફિલ્મોના શૂટિંગ શરૂ થયા હતા અને થિયેટરો પણ 100 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી મળી ગઈ છે. ત્યારે શૂટિંગ શરૂ થયા પછી પણ ઘણાં એક્ટર્સ કોરોના સંક્રમિત થયા હોવાની વાત સામે આવી હતી.

પંદર દિવસ પહેલા એક્ટર રણવીર શૌરીએ ટ્વિટર પર કોરોના પોઝિટિવ હોવાની વાત જણાવી હતી. ત્યારે મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે એક્ટર રણબીર કપૂર પણ કોરોના સંક્રમિત થયો છે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, રણબીરના કાકા રણધીર કપૂરે જણાવ્યું હતું કે, તેમનો ભત્રીજો બીમાર છે. જો કે, રણબીરને કઈ બીમારી છે તેનો ખુલાસો રણધીરે કર્યો નહોતો.

ન્યૂઝ પોર્ટલને રણધીરે જણાવ્યું હતું કે, મને ખબર છે ત્યાં સુધી તેની તબિયત ખરાબ છે. પરંતુ મને એ નથી ખબર કે તેને શું તકલીફ છે. હું હાલ મુંબઈમાં નથી. આ રિપોર્ટમાં એવો પણ દાવો થયો હતો કે, રણબીર ક્વોરન્ટીન થયો છે અને આરામ કરી રહ્યો છે. હવે રણબીરની મમ્મી અને એક્ટ્રેસ નીતૂ કપૂરે કન્ફર્મ કયુ છે કે, રણબીર કોરોના સંક્રમિત થયો છે. આ ઉપરાંત ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

નીતૂ કપૂરે મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર રણબીરની તસવીર શેર કરતાં લખ્યું, તમારી ચિંતાઓ અને શુભેચ્છાઓ માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ આવ્યો છે. અત્યારે તેની સારવાર ચાલી રહી છે અને રિકવરી સારી થઈ રહી છે. તે ઘરે જ સેલ્ફ-ક્વોરન્ટીન થયો છે અને જરૂરી તકેદારી રાખી રહ્યો છે. નીતૂની આ પોસ્ટ પર કરિશ્મા કપૂર અને સોની રાઝદાને હાર્ટનું ઈમોજી બનાવીને કોમેન્ટ કરી છે. આ ઉપરાંત ફેન્સ રણબીરના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, રણબીર પહેલા નીતૂ કપૂર પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ડિસેમ્બર 2020 માં નીતૂ કપૂર કોરોના સંક્રમિત થયા હતા. તેઓ આગામી ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ કરી રહ્યા હતા એ વખતે સંક્રમિત થયા હતા. નીતૂ સાથે ફિલ્મનો કો-એક્ટર વરુણ ધવન પણ કોરોના સંક્રમિત થયો હતો. બંને એક્ટર્સે સાજા થયા બાદ ‘જુગ જુગ જિયો’ નું શૂટિંગ શરૂ કયુ હતું. વર્કફ્રંટની વાત કરીએ તો, રણબીર કપૂરની બે ફિલ્મો ‘શમશેરા’ અને ‘બ્રહ્મા’ રિલીઝ થવાની છે. ‘શમશેરા’ 25 જૂન 2021 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણબીર વાણી કપૂર અને સંજય દત્ત સાથે જોવા મળશે. તો આ તરફ ‘બ્રહ્મા’ના મેકર્સે હજી સુધી રિલીઝ ડેટ જાહેર નથી કરી. ‘બ્રહ્મા†’માં રણબીર સાથે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ જોવા મળશે. બંને પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ ઉપરાંત રણબીર પાસે સંદીપ રેડ્ડીની ‘એનિમલ’ અને લવ રંજનની આગામી ફિલ્મ છે.

[quads id=1]

Related Articles

Back to top button