સ્વાસ્થ્ય

આ વસ્તુ ને કુદરતી સ્ટીરોઈડ કહીએ તો પણ કાઇ ખોટું નહી, હિમોગ્લોબિન અને શ્વાસના રોગનો તો છે રામબાણ

રાજગરો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રાજગરાના લોટનો ઉપયોગ ભારતીય ઘરોમાં લાડુ, બ્રેડ અને બીજી ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે. રાજગરા નું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે તેમાં ઘણા પોષક તત્વો હોય છે. રાજગરો ખાવાથી વાળ સ્વસ્થ રહે છે અને વજન ઓછું થાય છે.

વૃદ્ધિની મરામત, બળતરા ઘટાડવા, બ્લડ પ્રેશર ઘટાડવા, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા અને કાયમની અતિશય ફૂલેલી નસો જેવી સમસ્યાઓ ઘટાડવા માટે તે ફાયદાકારક છે. તો ચાલો હવે આપણે જાણીએ રાજગરાના ફાયદાઓ વિશે.

રાજગરામાં ઘણાં બધાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને એન્ટીઓક્સીડેન્ટ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે સંધિવા, સોજો અને બળતરા જેવા રોગોથી રાહત આપે છે. રાજગરામાં ફ્લેવેનોઈડ હોય છે જે રુધિરવાહિનીઓની દિવાલોને મજબૂત બનાવે છે. આ જ કારણ છે કે રાજગરાનું સેવન કરવાથી કાયમની અતિશય ફૂલેલી નસો માટે તે લાભદાયી છે.

એક માત્ર રાજગરાના દાણામાં જ કુદરતી સ્ટીરોઈડ છે. લાઇસિન છે. પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ છે. કેલ્શિયમથી ભરપૂર છે. પચવામાં હલકો છે, એમિનો એસિડ્સને કારણે તે શરીરમાં સરળતાથી પચી જાય છે. ભૂખને ભાંગે છે.

રાજગરો આપણા શરીરમાં ઔષધિ તરીકે કામ કરે છે. જો રાજગરાનું સેવન કરશો તો કબજીયાત જેવી સમસ્યાથી પણ રાહત મળી રહેશે. મહત્વનું છે કે આજની ભાગદોડવાળી જિંદગીમાં મોટા ભાગના લોકો કબજીયાતની સમસ્યાથી પિડાય છે. જો તમે રાજગરા ખાવાનું રાખશો તો કબજીયાતની સમસ્યાથી પણ રાહત મળશે.

રાજગરામાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે. તેથી, તે પાચન માટે ફાયદાકારક છે. તેને ખાવાથી ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ ની સમસ્યા થતી નથી. તેથી રાજગરો ખાવો એ પાચનતંત્ર માટે ફાયદાકારક છે. રાજગરામાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે જે કોલેસ્ટરોલ ઘટાડવા માટે ઉપયોગી છે. તે રક્તવાહિની તંત્રને પણ જાળવી રાખે છે.

રાજગરામાં વિટામિન-કે પણ છે તેથી તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે ફાયદાકારક છે. પોષક તત્વોથી સમૃદ્ધ રાજગરામાં પૂરતા પ્રમાણમાં ખનિજો તેમજ કેલ્શિયમ હોય છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઓસ્ટીયોપોરોસિસ જેવી મુશ્કેલી માટે રાજાગરો લેવાથી ફાયદો થાય છે.

રાજગરાનું સેવન કરવાને કારણે જે લોકોને હ્રદયરોગની સમસ્યાઓ છે તેમની સમસ્યાઓ દૂર થતી જોવા મળશે. કારણકે રાજગરો એક ઔષધ જેવુ કામ કરે છે. સાથે જ શરીરમાં પ્રોટીન અને વિટામીન પણ પૂરા પાડે છે. અને તેજ કારણે લોકો ઉપવાસમાં રાજગરો ખાવાનો પસંદ કરે છે.

રાજગરામાં એન્ટીઑક્સિડેન્ટ પૂરતા પ્રમાણમાં છે. આ એન્ટીઑક્સિડેન્ટ આંખોની રોશની વધારવા માટે પણ ફાયદાકારક છે. રાજગરામાં પૂરતા પ્રમાણમાં ફોલેટ હોય છે. તે ગર્ભાવસ્થા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી, સગર્ભા સ્ત્રીઓ માટે રાજગરો ખાવાનું ખૂબ ઉપયોગી મનાય છે.

રાજગરાનું સેવન કરશો તો શરીરીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધશે સાથે જ રાજગરાના સેવનથી શરરીમાં વિટામીનની ઉણપ પણ દૂર થશે. મહત્વનું છે કે વિટામીનની ઉણપને કારણે આપણા શરીરમાં હિમોગ્લોબિનનો અભાવ સર્જાય છે. પરંતુ રાજગરામાં ભરપૂર માત્રામાં વિટામીન રહેલા હોય છે. જેથી રાજગરાને કારણે આપણા શરીરને ભરપૂર માત્રામા વિટામીન મળી રહે છે.

રાજગરામાં ઢગલાબંધ ફાઇબર હોય છે કે જે પથરી થવાથી બચાવે છે. તે શરીર સુડોળ અને ખડતલ બનાવે છે. રાજગરો સ્ટેમીના, મગજ અને લીવરની તાકાત વધારે છે. રાજગરાથી એનિમિયામાં લાભ થાય છે. રાજગરાનું સેવન તો ફાયદાકારક છે જ સાથેજ જો તેના કાચા પાનના રસનું સેવન કરશો તો શરદી ખાસી સામે પણ રક્ષણ મળી રહેશે. જો લાંબા સમય સુધી જુવાન દેખાવ તેવી ઈચ્છા રાખો છો તો રાજગરા નું સેવન કરવો જોઈએ.

રાજગરમા ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન રહેલા હોય છે. તેથી જ રાજગરો ફાયદાકારક છે. રાજગરો રક્તકણોનો વિકાસ કરે છે. તે કફની સમસ્યા માટે સારો વિકલ્પ છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક, પેશાબની ઓછપ, શ્વસનમાર્ગના ચેપ વગેરે જેવી સમસ્યાઓમાં રાજગરનું સેવન કરવું જોઈએ.

રાજગરામાં 75 ટકા કાર્બોહાઇડ્રેટ હોય છે અને 25 ટકા હાઈ ક્વોલિટી પ્રોટીન પણ હોય છે જે વજન ઘટાડવામાં બહુ મદદ કરે છે. આ ડાયાબિટીસનાં દર્દીઓ માટે પણ સારો ગણવામાં આવે છે, કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લાયસેમિક હોય છે કે જે બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago