મનોરંજન

વળી આ ચાઈના ના ભીખરીઓ ભીખ માગવા નવું તૂત લાવ્યા, આને કોઈ નો પોગે હો. . .

એક તરફ જ્યારે ચીન પોતાના દેશમાં સંપૂર્ણ રીતે ગરીબીને નાબૂદ કરવાનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ આ દેશના ભિખારીઓ દિવસેને દિવસે આધુનિક બની રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દિવસોમાં ચીનના ભિખારીઓ ભીખ માંગવા માટે ઇ-વૉલેટનો ઉપયોગ કરી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે ચીનમાં ટેકનોલોજી એકદમ અદ્યતન છે અને અહીંના લોકો રોકડને બદલે કાર્ડ લઇ જાય છે. આવી સ્થિતિમાં ભિખારીને પૈસા મળી શકતા ન હતા.

ચીની ભીખારીનો ઉલ્લેખ કરવા પાછળનું કારણ છે, ભારતની સુપ્રીમ કોર્ટમાં આવેલ એક પિટિશન, જણાવી દઈએ કે અરજીમાં ભિક્ષાવૃત્તિને ગુનાની શ્રેણીમાંથી દૂર કરવા સૂચનો આપવા જણાવ્યું છે. અરજદારે કહ્યું છે કે જો ભીખ માંગવી એ ગુનો બને છે, તો લોકોને ભૂખે મરવા કે ગુનેગારો બનવા સિવાય ખરેખર કોઈ વિકલ્પ નહીં રહે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સહિત કેટલાક રાજ્યો પાસેથી જવાબ માંગ્યા છે.

સુપ્રીમ કોર્ટે ભિક્ષાવૃત્તિને ગુનાની શ્રેણીમાંથી દૂર કરવાની અરજી પર ત્રણ સપ્તાહની અંદર દેશના 5 રાજ્યોનો જવાબ માંગ્યો છે. જે રાજ્યોમાંથી સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યા છે તેમાં બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણા શામેલ છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ભિખારીઓની કુલ સંખ્યા 4,13,670 હોવાનું જણાવાયું હતું, જે હવે વધી હશે.

ભિખારીઓ પણ થઈ ગયા છે ડિજિટલ

ચીનમાં ડિજિટલ ક્રાંતિને કારણે અહીંના ભિખારીઓ આધુનિક બની ગયા છે. આ દેશના ભિખારીઓ તેમની સાથે ઇ-પેમેન્ટની સુવિધા વહન કરે છે, જેથી કોઈ છુટા પૈસા ન હોવાના બહાના ન કરે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ચીનમાં ભિખારીઓ QR કોડ સાથે એક કાગળ લે છે અને શહેરના પર્યટન સ્થળો અથવા શોપિંગ મોલ જેવા સ્થળોએ ઉભા રહે છે. આવા સ્થળો પર ઘણાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો આવતા હોય છે. આવી સ્થિતિમાં, તેઓ વધુમાં વધુ ભીખ મળી રહે છે.

જણાવી દઈએ કે ચીનની બે સૌથી મોટી ઇ-વૉલેટ કંપનીઓ આ કામમાં ભિખારીઓને મદદ કરે છે. એલિપે અને વીચેટ વૉલેટ ભિખારીઓ સાથે ગઠબંધન કરી લીધું છે. ભિખારી જયારે ક્યુઆર (QR) કોડની મદદથી પૈસા લે છે, ત્યારે ચૂકવનારા લોકોનો ડેટા કંપનીઓ પાસે આવી જાય છે. આ કંપનીઓ આ માહિતીનો ઉપયોગ તેમની જાહેરાતો અથવા આવા કોઈપણ લાભ માટે કરે છે.

જોકે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ વર્ષની શરૂઆતમાં તેમના દેશને ગરીબી મુક્ત જાહેર કર્યો હતો. ચીન આ પ્રકારનો દાવો કરનારો વિશ્વનો પહેલો દેશ બન્યો છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિવેદનો અનુસાર, સિત્તેરના દાયકાથી અર્થતંત્રમાં થયેલા સુધારા બાદ, 770 મિલિયન ગરીબ લોકો આર્થિક સમૃદ્ધિ મેળવી શક્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button