ક્રાઇમસમાચાર

ખતરનાક પ્લાન: પત્ની પિયર જતાં પતિએ જીવતા પુત્રને કફન ઓઢાડી મોકલ્યો ફોટો, પછી થયું કઈક આવું..

જ્યારે પત્ની ગુસ્સામાં હોય છે અને રિસાઈને તેના પિયર જતી રહે છે, ત્યારે તેને મનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં પતિઓ પત્નીને ઘરે પરત લાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. કેટલાક માફી માંગે છે અને કેટલાક પત્નીને રોમેન્ટિક રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે.

પરંતુ મુંબઈમાં, એક પતિએ તેની પત્નીને પરત લાવવા માટે તેના બાળકોના મૃત્યુની ખોટી ઘટના બનાવી. સાથે તેણે એવું કૃત્ય કર્યું કે તેની પુત્રીનો જીવ જતાં જતાં બચી ગયો. પહેલા તો આ પાગલ પતિએ તેના જીવતા પુત્રના શરીર પર કફન લગાવ્યું. એટલું જ નહીં, તેમણે દીકરાને માળા પહેરાવી અને નજીકમાં ધૂપ દીવો સળગાવ્યો.

આ પછી તેણે પુત્રનો ફોટો ક્લિક કર્યો અને તેની પત્નીને મોકલ્યો. પતિએ વિચાર્યું કે દીકરાને મરેલો જોઈને તેની પત્ની ઘરે પાછી આવી જશે. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આ શંકી પતિએ પોતાની દીકરીને પંખાથી લટકાવી દીધી. જોકે, બાળકીની બુદ્ધિને કારણે તેનો જીવ બચી ગયો હતો. હકીકતમાં, પિતાએ દીકરીના ગળામાં ફાંસો લગાવી દીધો હતો.

આ પછી તેણે દુપટ્ટાનો એક છેડો પંખા સાથે પણ બાંધી દીધો. દીકરીને ડોલની ઉપર ઉભી કરી અને ડોલ પણ દૂર કરી દીધી. જોકે બાળકીએ યોગ્ય સમયે ચીસો પાડી અને તેનો અવાજ સાંભળીને પડોશીઓ યોગ્ય સમયે આવ્યા અને બાળકીને બચાવી લીધી.
બીજી બાજુ, આરોપી પિતાએ ઘરમાંથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો પણ પાડોશીઓએ તેને પકડી લીધો અને ત્યાર પછી પોલીસને જાણ કરી.

પોલીસ ઘટનાસ્થળે આવી અને આરોપી પિતાની ધરપકડ કરી. આ સમગ્ર મામલો મુંબઈના કુરાર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ ઘટના ગયા શનિવારે બની હોવાનું કહેવાય છે. આ આરોપીની ઓળખ સુચિત ગૌર તરીકે થઈ છે. પોલીસે આરોપીને પકડ્યો ત્યારે તે દારૂના નશામાં હતો. પાડોશીએ જણાવ્યું કે આરોપી ડ્રગ્સનો વ્યસની છે.

દરરોજ તે દારૂ પીધા બાદ પત્ની સાથે ઝઘડો કરતો રહે છે. તેની પત્ની આ કારણે જ તેના મામાના ઘરે ગઈ હતી. તેણી બાળકોને પણ પોતાની સાથે મામાને ત્યાં લઈ ગઈ હતી, જો કે તેનો પતિ મામાના ઘરે આવ્યો હતો અને બાળકોને લાલચ આપીને પોતાની સાથે લઈ આવ્યો હતો.

હાલ પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ માહિતી વિષે પોલીસનું કહેવું છે કે છોકરીએ યોગ્ય સમયે ચીસો પાડી અને પડોશીઓના કારણે તેનો જીવ બચી ગયો.આરોપી નશામાં હતો જેથી બાળકીને કંઈ પણ થઈ શકતું હતું.

આ સમગ્ર બાબત ખૂબ જ અલગ છે. ગુસ્સે થયેલી પત્નીને પિયરમાંથી પરત લાવવા માટે ભાગ્યે જ કોઈએ આવી યુક્તિ કરી હશે. પરંતુ પતિના નશાને કારણે આ વસ્તુ પણ જોખમી હતી.તે દારૂના પ્રભાવ હેઠળ કંઈપણ કરી શકે છે. હવે આ સમગ્ર મામલો આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.લોકો કહે છે કે આવા નશામાં ધૂત અને શંકી પતિ હોવા કરતાં આખી જિંદગી એકલા રહેવું વધુ સારું છે.

[quads id=1]

Related Articles

Back to top button