દેશ

પુલ પર પર ની રેલિંગ તોડી પિકઅપ વાન નદી માં ખાબકી: ટોટલ 9 શબ મળી આવ્યા, 11 જણા ડૂબ્યાં હોવાની આશંકા

પટના મા જૂના પાનાપુર ઘાટ પર પીપા પુલની રેલિંગ તોડી શુક્રવારે સવારે એક પીકઅપ વાન ગંગા નદીમાં પડી હતી. આ અકસ્માતમાં 11 લોકોના ડૂબી જવાનો મામલો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવી છે. પીકઅપ વાનમાં સવાર એક જ પરિવારના બધા લોકો અકિલપુરથી દાનાપુરના ચિત્રકૂટનગર તરફ આવી રહ્યા હતા.

કહેવાય છે કે અકિલપુરમાં રહેતા રાકેશ કુમારે 21 એપ્રિલે તિલક સમારોહ કર્યો હતો. તિલક પુરો થયા પછી, દરેક દાનાપુરમાં તેમના ઘરે આવી રહ્યા હતા. દરમિયાન આ દુખદ અકસ્માત સર્જાયો હતો. વાન નદીમાં પડ્યાની જાણ થતાં જ પોલીસ અને ગોતા ખોરો ને સ્થળ ઉપર બોલાવાયા હતા. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ રાહત કાર્યમાં લાગી ગઈ છે. પટનાના ઘણા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ઘટના દરમિયાન, પીકઅપ વાનની છત પર બેઠેલા ત્રણ લોકોએ છલાંગ લગાવી પોતાનો જીવ બચાવ્યો હતો. ત્રણેયમાં સુજિતકુમાર સિંહ, મનોજ સિંહ અને કિતબ રાય શામેલ છે. સવારે છ વાગ્યે થયેલા આ અકસ્માત બાદ સેંકડો લોકોનું ટોળુ સ્થળ પર એકઠા થઈ ગયું હતું.

પીકઅપ વાન ગંગામાં ઘુસી ગઈ હતી અને પુલ પર હંગામો થયો હતો. સ્થાનિક લોકો બચાવવા માટે પહોંચી ગયા હતા, સાથે જ વહીવટી તંત્રને પણ માહિતી આપવામાં આવી છે. આ પછી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago