આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં સુખી વિવાહિત જીવનનું રહસ્ય ખૂબ સારી રીતે વર્ણવ્યું છે. ચાણક્યએ પતિ-પત્ની વચ્ચેના સંબંધને મજબૂત બનાવવા માટે ઘણી નીતિઓ લખી છે. ચાણક્ય કહે છે કે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વિશ્વાસ પર ટકે છે. જ્યારે સંબંધોમાં વિશ્વાસનો અભાવ હોય છે, ત્યારે વૈવાહિક જીવનમાં તણાવ અને વિખવાદની સ્થિતિ ઊભી થાય છે. જો સમયસર પરિસ્થિતિ સુધારવામાં નહીં આવે, તો પછી પતિ-પત્ની નો સંબંધ તૂટી જવાના માર્ગ આવી જાય છે. ચાણક્ય કહે છે કે દરેક પતિ-પત્નીએ વિવાહિત જીવનને આનંદપ્રદ બનાવવા માટે સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ.
ચાણક્યની ગણતરી એક મહાન શિક્ષણશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી તરીકે થાય છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં સુખદ અને વૈવાહિક જીવનને અસર કરતી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. ચાણક્યના જણાવ્યા અનુસાર, જાણો કેવી રીતે લગ્ન જીવનને ખુશ કરવું, અને શું છે તેનું રહસ્ય.
ચાણક્ય કહે છે કે પતિ-પત્નીના સંબંધોમાં મહત્ત્વની બાબત એક બીજા પ્રત્યે નો આદર છે. પતિ અને પત્ની જે એકબીજાને માન આપતા નથી અને એક બીજા નું અપમાન કરે છે, તેમનું વિવાહિત જીવન દુ:ખ અને મુશ્કેલીઓથી ભરેલું છે. તેથી, વિવાહિત જીવનને સુખી બનાવવા માટે, પતિ-પત્નીએ એકબીજાને માન આપવું જરૂરી છે.
ચાણક્ય કહે છે કે કોઈ પણ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. સંવાદ એ પ્રક્રિયા છે જે કોઈ મોટી સમસ્યાનું નિરાકરણ લાવવાનું માધ્યમ બને છે. તેથી, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો, પતિ-પત્નીએ ખુલ્લેઆમ વાત કરવી જોઈએ અને બગડેલી વાત નું સમાધાન લાવું જોઈએ. ક્યારેક આપડી ભૂલ ન હોય તો પણ માફી માંગી લેવાથી ઘણી સસ્યાઓ નું સમાધાન આવી જાય છે.
ચાણક્ય કહે છે કે પતિ-પત્નીના સંબંધોમાં સત્યની વિશેષ ભૂમિકા હોય છે. અસત્ય પર ટકેલા સંબંધો થોડા સમય પછી તૂટી જાય છે. તેથી, જીવનને સાચી રીતે માણવા માટે, પતિ-પત્નીએ સત્યનો માર્ગ અપનાવવો જોઈએ. તમે આજે ખોટું બોલશો તો એ ખોટું છુંપાવવા માટે તમારે ભવિષ્ય માં અનેક વખત ખોટું બોલવાનો વારો આવશે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…