પ્રેરણાત્મક

14 લાખ રૂપિયા ભરેલું બેગ પરિવાર ભૂલી ગયો, આ બેગ સોસાયટી ના ચોકીદાર ને મળતા જ …

આજ કાલ લોકો પૈસા માટે પોતાના સગા ભાઈ પર પણ વિશ્વાસ કરતા નથી એવા સમયે એક સોસાયટીના ચોકીદાર નો પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. સગા સંબંધી નું અવસાન થતાં અમદાવાદ ના બોડકદેવમાં રહેતો આ પરિવાર ઉતાવળમાં ૧૪ લાખ રૂપિયા ભરેલી બેગ ભૂલી ગયા હતા. આ બેગ સોસાયટીના ચોકીદારે જીવની જેમ સાચવીને માલિકને પરત કરી હતી.

વિગતવાર જોઈએ તો બોડકદેવના શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્ર સિંહ ના સંબંધી નું અવસાન થતા તેમનો પરિવાર ગાડી મારફતે ઇન્દોર જવા રવાના થયો. સંબંધીના અવસાન ના આઘાત મા આ પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ સોસાયટી મા જ ભૂલી ગયા.

આ બેગ સોસાયટી ના ચોકીદાર ને મળતા તેને આ બેગ ને પોતાના જીવ ની જેમ સાચવી. પરિવારે બેગ ગુમ થતા બધી જગ્યા એ તપાસ કરી પણ કોઈ જગ્યાએ બેગ નો પાટો મળ્યો નહિ એટલે અંતે છેલ્લા ઓપશન તરીકે સોસાયટી ના ચોકીદાર ને ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેમની પૈસા ભરેલી બેગ સહીસલામત છે.

નરેન્દ્રસિંહ ચાર દિવસ બાદ ઈન્દોરથી જ્યારે પરત આવ્યા ત્યારે ચોકીદારે ૧૪ લાખ રૂપિયા ભરેલું બેગ સહી સલામત રીતે તેના માલિકને પાછું આપ્યુ અને પોતાની ફરજ ઈમાનદારી થી નિભાવી. આ ચોકીદારનું નામ શંકર છે. તેમને નેપાળી છે. શંકરે કોરોના ના કપરા સમય દરમ્યાન પણ સોસાયટીના મેમ્બરો માટે ખુબજ પ્રામાણિકતા થી કામ કર્યું હતું.

પૈસા નું બેગ સહી-સલામત મળી જતા નરેન્દ્રસિંહ શંકરને પંદરસો રૂપિયા આપીને તેનું સન્માન કર્યું હતું. આવા સમય મા શંકર જેવા ઈમાનદાર માણસો મળવા ખુબ અઘરું છે. આ ચોકીદારે માનવતા ની એક સુંદર મિસાલ ઉભી કરી છે. આવા ઘણાય ઓછા લોકો હોય છે જે ફક્ત પોતાની મહેનત ની કમાણી માંજ વિશ્વાસ રાખે છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago