જાણવા જેવું

તમારા આધારકાર્ડ ને પાનકાર્ડ સાથે લિન્ક કરવાની પ્રોસેસ જાણી લ્યો.

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે સરકારે ઘણી વખત મુદત લંબાવી છે. આ સમયમર્યાદા છેલ્લે 30 જૂન, 2020 થી 31 માર્ચ, 2021 સુધી લંબાઈ હતી. જો તમે 31 માર્ચ, 2021 સુધીમાં તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરો તો તમારો પાન કાર્ડ નંબર બંધ થઈ જશે. પાન કાર્ડ નંબર બંધ થયા પછી, તમે વધારે પ્રમાણમાં લેવાં દેવડ કરી શકશો નહીં.

જો તમે આ સમયગાળાની અંદર પાન કાર્ડ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરી શકતા નથી અને તમારો પાન નંબર બંધ થઈ જાય છે, તો પછી એવું માનવામાં આવશે કે તમારો પાન કાર્ડ કાયદા દ્વારા જરૂરી નિયમોને પૂર્ણ કરતો નથી અને આવકવેરાના કાયદાની કલમ 272 બી હેઠળ 10,000 નો દંડ લગાવવામાં આવી શકે છે.

જાણો કઈ રીતે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડી શકાય છે.

  1. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા માટે, પહેલા તમારે આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જવું પડશે.
  2. હવે તમારે ડાબી બાજુએ લિંક આધાર કાર્ડ વિભાગ પર ક્લિક કરવું પડશે.
  3. અહીં તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર અને નામ દાખલ કરવું પડશે.
  4. હવે તમારે કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  5. હવે તમારે ‘લિંક આધાર’ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  6. હવે આવકવેરા વિભાગ તમારું નામ, જન્મ તારીખ વગેરે માન્ય કરશે અને આ કર્યા પછી આધાર કાર્ડને પાનકાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા પૂરી થઈ જશે.

જાણો આ રીતે પાન કાર્ડને એસ.એમ.એસ દ્વારા આધાર કાર્ડ સાથે લિંક કરી શકાય.

તમે એસ.એમ.એસ દ્વારા પણ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. આ માટે તમારે મોબાઇલ પરના મેસેજ બોક્સ પર જવું પડશે અને યુ.આઈ.ડી.પી.એન લખવું પડશે. હવે તમારે જગ્યા આપીને પાન કાર્ડ અને આધારકાર્ડ નંબર લખવો પડશે. હવે તેને 567678 અથવા 56161 નંબર પર મોકલવું પડશે. આ પછી, આવકવેરા વિભાગ તમારા બંને નંબરને લિંક કરવાની પ્રક્રિયામાં મૂકશે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago