દેશ

હવે પગાર માટે એક મહિના સુધી નહિ જોવી પડે રાહ

કોરોના મહામારી બાદ ઘણી બધી કંપનીઓ તેમના કર્મચારીઓના પગારમાં કાપ મૂકી રહી છે. પરંતુ આ દરમિયાન એક કંપનીએ એવી જાહેરાત કરી છે. કે તે તેમની કંપનીના કર્મચારીઓને દર અઠવાડિયે પગાર આપશે. કોરોનાની વૈશ્વિક મહામારીના આ સમયમાં ઇન્ડિયામાર્ટ કંપનીએ પોતાના કર્મચારીઓની આર્થિક સ્થિતિ સુધારવાના હેતુથી આ જાહેરાત કરી છે. હવે ઇન્ડિયામાર્ટના કર્મચારીઓએ એક મહિના સુધી પગાર માટે રાહ જોવી નહીં પડે.

ઉલ્લેખનીય છે કે, અનેક દેશોમાં કંપનીઓ દર અઠવાડિયે તેમના કર્મચારીઓને પગાર ચૂકવી રહી છે. હવે ભારતમાં IndiaMART એ તેની પહેલ શરૂ કરી છે. ઈન્ડિયામાર્ટની આ પોલીસીથીતેમની કંપનીના કર્મચારીઓમાં હાલ ઉત્સાહ જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે, સાપ્તાહિક વેતન ચૂકવનારી ઈન્ડિયામાર્ટ એ દેશની પ્રથમ કંપની બની છે. કંપનીના જણાવ્યા અનુસાર, ‘બદલાઇ રહેલા સમય અને વધી રહેલ નાણાકીય બોજને ધ્યાનમાં લઇને આ જાહેરાત કરી છે. અમેરિકા,ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ,હોંગકોંગ જેવા અનેક દેશોમાં આ પ્રથા પહેલેથી જ છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાયેલા સંજોગો તેમજ કર્મચારીઓના હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈન્ડિયામાર્ટના સીઇઓ દિનેશ ગુલાટીના જણાવ્યા અનુસાર, આ નિર્ણયને કંપનીના દરેક વ્યક્તિએ આવકર્યો છે. ઘણા વર્ષો પહેલા કંપનીએ આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અમારી કંપનીમાં અનેક લોકોને દર અઠવાડિયે ઈન્સેટિવ આપવામાં આવે જ છે. તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી બાદ વર્ક ફ્રોમ હોમનો વિચાર મુકનાર ઈન્ડિયામાર્ટ પહેલી કંપની હતી. આમ ઈન્ડિયામાર્ટ કંપની કર્મચારીઓના હિત માટે દર વખતે નવી નવી પહેલ કરે છે.

કંપનીનું કહેવું છે કે, આ નિર્ણય પછી સરળતાથી કર્મચારીઓની નાણાકીય જરૂરિયાતો પુરી થશે. અને એક મહિના સુધી પગાર માટે રાહ પણ જોવી પડશે નહીં. દેશમાં પ્રથમ વખત કોઈ કંપની આ પ્રકારની સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. તેનાથી કર્મચારીઓને બધી બાજુથી ફાયદો થશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago