દેશ

જોલાછાપ નકલી ડૉક્ટર પાસેથી કોરોના ની સારવાર લેતા એક પરિવાર ના 8 સભ્યો ના મોત, 5 ની હાલત ગંભીર

છત્તીસગઢ ના બિલાસપુર માં એક જ પરિવાર ના 8 લોકો ની મોત થઈ છે અને 5 સભ્યો ની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે કોરોના ના લક્ષણ દેખાતા હોવાને લીધે પરિવારે કોઈક કથિત ડુપ્લીકેટ ડોકટર પાસેથી ચીલાચાલુ હોમિયોપેથીક દવા લીધી હતી. પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી દીધી છે અને સંભવિત બધા દૃષ્ટિકોણ થી તપાસ હાથ ધરી રહી છે.

આ ઘટના બિલાસપુર ક્ષેત્ર ના સિરગિત્તી થાણા ની છે. અહી કોરમી ગામ ના એક પરિવાર ના બધા લોકો એ આલ્કોહોલ યુક્ત હોમિયોપેથીક દવા પીધી હતી. ત્યારબાદ વધારે તબિયત ખરાબ થતાં એક પછી એક એમ આઠ લોકો એ જીવ ગુમાવી દીધી, અને અન્ય પાંચ લોકો ની હાલત લથડી ગઈ છે.

મૃતકો માંથી 4 લોકો ના અંતિમ સંસ્કાર રાતે ને રાતે જ પતાવી દીધા, આથી મામલો થોડોક શંકાસ્પદ લાગી રહ્યો છે. બિલાસપુર ના સીએમઓ એ જણાવ્યું કે હોમિયોપેથીક દવા પીવાના લીધે આવી સ્થિતિ સર્જાઈ છે. અને 5 લોકો હજી હોસ્પિટલ માં દાખલ છે. દવા આપનાર ડોકટર અત્યારે ફરાર થઈ ગયેલ છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago