ગુજરાત

વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નામ ‘સરદાર પટેલ’ માંથી ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવ્યું

અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ આજે ખૂબ ચર્ચામાં છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે બુધવારે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. ઉદઘાટન બાદ પહેલીવાર મોટેરા સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ મેચ રમાશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રમત ગમત મંત્રી કિરેન રિજિજુ, અને બીસીસીઆઈ સચિવ જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોટેરા હવે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જેમાં 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતા છે. જમીન પર કુલ 11 પીચો છે – છ લાલ માટીની છે અને પાંચ કાળી માટીની છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ડે નાઈટ ટેસ્ટ મેચ બાદ ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાનાર છે. જે માટે મેચની ટિકિટનું ઑનલાઈન બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે

વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રેક્ષકોએ મેચની ટિકિટ ઑનલાઈન બુક કરાવવી પડશે. સાથે જ પાર્કિંગનો સ્લોટ પણ ઑનલાઈ બુક કરાવવો પડશે. એપના માધ્યમથી પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ટુ વ્હીલર માટે 30 રૂપિયા જ્યારે કાર માટે 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ રાખવામાં આવ્યો છે. પાર્કિંગ માટે 27 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જો અવ્યવસ્થિત પાર્કિંગ કર્યું હશે તો વાહન ટૉ કરવામાં આવશે.

કપિલ દેવ અને ગાવસ્કરે બનાવ્યો હતો રેકોર્ડ

આ સ્ટેડિયમમાં કપિલ દેવ અને સુનિલ ગાવસ્કરે બનાવેલા વર્લ્ડ રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ. હકીકતમાં, 1983માં ગુજરાત સરકાર દ્વારા દાનમાં આપવામાં આવેલી 100 એકર જમીન પર બનેલા આ સ્ટેડિયમમાં પૂર્વ ભારતીય ટેસ્ટ ઓપનર સુનિલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પાર કર્યો હતો.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago