મનોરંજન

દિલ્હી માં લોકડાઉન ની જાહેરાત થતા દારૂ ની દૂકાન બહાર બંધાણીઓ ની લાઇન લાગી

દેશની રાજધાનીમાં કોરોના ચેપ ચરમસીમાએ પહોંચ્યા પછી દિલ્હી સરકારે આજે રાત્રે દસ વાગ્યાથી છ દિવસ માટે લોકડાઉન કરવાની ઘોષણા કરી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથે મુલાકાત બાદ લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉન થવાના સમાચાર મળતા જ દારૂના શોખીનોએ રાહત અનુભવી હતી. તરત જ નજીકના ઠેકા તરફ દોડી ગયા હતા. દુકાનોની બહાર અનેક જગ્યાએ લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલાક સ્ટોર્સ પર, સામાજિક અંતરના નિયમો ની ધાજીયા ઉડાડવામાં આવી હતી.

દિલ્હીના ખાન માર્કેટ સ્થિત આ દારૂની દુકાનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેમા આ લોકો દારૂ ખરીદવાના ચક્કર માં સામાજિક અંતર નું ભાન ભૂલી ગયા હતા. દિલ્હી સરકારે 6 દિવસનું લોકડાઉન કર્યું હોવાથી લોકો દારૂનો જથ્થો ખરીદી રહ્યા છે.

આ દરમિયાન શિવપુરી ગીતા કોલોનીની એક દુકાન પર દારૂ ખરીદવા આવેલી એક મહિલા કહે છે કે ઈંજેક્શનથી ફાયદો નહીં થાય, આલ્કોહોલથી ફાયદો થશે, દવાઓથી અસર નહીં થાય, તેની અસર પેગ પરથી થશે.

તમને જણાવી દઇએ કે, આજે રાત્રે દસ વાગ્યાથી શરૂ થનારી લોકડાઉન આવતા સોમવારે પાંચ વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન, બધી આવશ્યક સેવાઓ તેને બાકાત રાખવામાં આવે છે. વધુમાં વધુ 50 લોકો લગ્ન સમારોહમાં ભાગ લઈ શકશે અને આ માટે પાસ આપવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાના 25 હજારથી વધુ નવા દર્દીઓ દરરોજ દિલ્હીમાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિને ખૂબ ગંભીર ગણાવતાં તેમણે કહ્યું કે જનતાના સમર્થન વિના કોરોનાની કડી તોડી શકાતી નથી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago