સમાચાર

પાટીલને કેજરીવાલનો સવાલ: ભાજપના 25 વર્ષનાં શાસન પછી પણ ખેડૂતો આપઘાત કરે છે?

ગુજરાતમાં હાલમાં થયેલી ૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કાૅંગ્રેસનો સફાયો કરીને એન્ટ્રી મારી છે. ત્યારે ગઇકાલ રાતથી ટિ્‌વટર પર અરવિંદ કેજરીવાલ અને સી.આર. પાટીલ વચ્ચે શાબ્દિક વોર જામી છે. ગઇકાલે, શુક્રવારે, સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શો યોજ્યો હતો. જે બાદ સી આર પાટિલે ટિ્‌વટમાં કહ્યું હતું કે, ‘કેજરીવાલજીએ કહ્યું કે, તેમની પાર્ટી સુરતમાં ૨૭ સીટો જીતી છે. તો તેમણે એવું કેમ ના કહ્યું કે, આમ આદમી પાર્ટીના ૫૯ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે.

વડોદરા, અમદાવાદ અને ભાવનગરમાં આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. જામનગરમાં ૪૮માંથી ૪૪ અને રાજકોટમાં ૭૨માંથી ૬૮ ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી છે.’ પહેલી ટિ્‌વટની થોડી જ મિનિટો બાદ સી.આર. પાટીલે અન્ય ટિ્‌વટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, ‘ગુજરાત નગરપાલિકાની ચૂંટણીમાં ‘આપ’નો સ્કોર. ત્રણ શહરોમાં ૧૦૦%. બે શહરોમાં ૯૦% કરતા વધુ અને એક શહેરમાં ૫૦% કરતા વધારે. આટલી સીટો જીતી નથી પણ તેમની જમાનત જપ્ત થઇ છે. જેની ખુશી મનવવા માટે કેજરીવાલજી એક રોડ શો કરી રહ્યા છે.

ગુજરાતી મતદારોએ પોતાનો ર્નિણય સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો છે. ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી, આપનાં સુરતમાં ૬૫ ઉમેદવારો, વડોદરામાં ૪૧ ઉમેદવારો, અમદાવાદમાં ૧૫૫ ઉમેદવારો, ભાવનગરમાં ૩૯ ઉમેદવારો અને રાજકોટમાં ૬૮ ઉમેદવારોની ડિપોઝીટ ગુમાવી છે. પાટીલની અડધી રાતની આ ટિ્‌વટ પર કેજરીવાલે સવારે ફરીથી જવાબ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, ગુજરાતના લોકો પૂછી રહ્યાં છે કે, ૨૫ વર્ષના ભાજપના રાજ પછી પણ – વીજળી આટલી મોંઘી કેમ?, ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યા છે?, સરકારી હૉસ્પિટલ અને શાળાઓ ખંડેર હાલતમાં કેમ છે?, કેટલી સરકારી શાળાઓ બંધ છે? તમે અડધી રાતે ટિ્‌વટ કર્યું, કાશ, ગુજરાતનાં લોકોના આ મુદ્દાઓ માટે આટલા બેચેન હોત. મહત્ત્વનું છે કે, આપ પાર્ટીએ જીતની ઉજવણી અને સુરતની જનતાનો આભાર માનવા માટે શુક્રવારે રોડ શો યોજાયો હતો.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago