સ્વાસ્થ્ય

વગર ખર્ચે બંધ નાક, ખાંસી અને ફેફસા સંબંધિત રોગો અને સ્નાયુના દુખાવા માંથી કાયમી છુટકારો અપાવશે માત્ર આનો ઉપયોગ..

કપૂરનું હિન્દૂ પરંપરામાં ઘણું ધાર્મિક મહત્વ છે. કપૂર પૂજન વિધિમાં અનેરુ મહત્વ ધરાવે છે. કપૂરના ઔષધિ ગુણો પણ ઘણા છે. કપૂર આપણાં સ્વાસ્થ્યથી લઇને સૌંદર્યમાં પણ ઘણું જ કારગર સાબિત થઇ શકે છે. તો ચાલો હવે આપણે જાણીએ કપૂરથી સ્વાસ્થ્યને થતા અનેક ફાયદાઓ વિશે.

વાળની સમસ્યામાં કપૂર ફાયદાકારક છે. ઘણી વખત વાળમાં ખોડો થાય અથવા વાળ ખરતા હોય ત્યારે નારિયેળના તેલમાં કપૂર મેળવીને થોડું એવું ગરમ કરીને માથા પર માલિશ કરો ત્યાર પછી એક કલાક બાદ માથું ચોખા પાણીથી ધોઈ લો. આવુ કરવાથી વાળ મજબૂત થશે અને ખરવાની સમસ્યા નહીં રહે.

શરદી, ખાંસી અને ફેફસા સંબંધિત રોગોમાં કપૂર સૂંઘવાથી ફાયદો થાય છે. ભરેલું નાક અને જિદ્દી ખાંસી માટે કપૂરનો ઉપયોગ કરી શકાય છે. કપૂર ભરેલા અને બંધ નાકને સાફ કરવાની ક્ષમતા ધરાવે છે. કપૂરના તેલમાં એક મજબૂત ગંધ હોય છે જે શ્વસન માર્ગને ખોલે છે. કપૂરના તેલથી છાતી પર માલિશ કરવાથી આવી સમસ્યાઓથી છુટકારો મળે છે.

અત્યારે મોટાભાગના લોકો મચ્છર ને ભગાડવા માટે કેમિકલ યુક્ત લીકવીડ નો ઉપયોગ કરતા હોય છે, પરંતુ કપૂર ને રૂમ માં સળગાવવામાં આવે તો તેના થી બે ફાયદાઓ થાય છે જેમાં એક છે કે તેને લીધે મચ્છરો ભાગી જાય છે અને બીજો ફાયદો એ છે કે કપૂર ને સળગાવવા થી રૂમ માં જે સુગંધ ફેલાય છે તેને લીધે માનસિક તણાવ દૂર થાય છે.

જો તમે સુંદરતા વધારવા માંગો છો, તો કપૂર વાટીને ચહેરા ઉપર લગાવો. તેનાથી ચહેરો ખીલી ઉઠશે અને ડાઘ ધબ્બા બધું દૂર થઇ જશે. તેના માટે કોઈ તેલમાં કપૂર ભેળવીને પછી ચહેરા ઉપર લગાવો. કપૂર પેટના દુખાવામા રાહત મેળવવા માટે પણ એક સારો ઉપાય સાબિત થઈ શકે છે. આ માટે પાણીમાં અજમો ઉકાળો અને તેમા એક ચપટી કપૂર પાવડર મિક્સ કરીને પીવો. આવુ કરવાથી પેટના દુખાવામાં તરત રાહત મળશે.

ફોલ્લીઓ, ખીલ વગેરેમાં કપૂર ખુબ જ ગુણકારી છે. તેથી ન માત્ર ખીલમાં ઘટાડો થાય છે. પરંતુ તે ત્વચા પર ખીલના જૂના ડાઘ પણ સમાપ્ત કરી  દે છે. ત્વચાની કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો કપૂરનું તેલ તેને દૂર કરે છે. ત્વચાની એલર્જી થવા પર અથવા બળી જવા તથા ત્વચા પર ઘાવ થાય ત્યારે કપૂરના તેલનો ઉપાય કારગર સાબિત થાય છે.

આજકાલની જીવનશૈલીમાં લોકોને ઊંઘ ન આવવાની સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે ત્યારે કપૂર સારી ઊંઘ માટે કારગત સાબિત થઇ શકે છે. કપૂરની સુગંધથી મગજ શાંત થાય છે જેથી સારી ઊંઘ આવી જાય છે. ઊંઘતા પહેલા ઓશિકા નીચે કપૂરની કેટલીક ગોળીઓ મૂકી શકાય, જેથી સતત તેની સુગંધ આવ્યા કરે અથવા કપૂરના તેલને ઓશિકા પર ધસી શકાય.

ઠંડીની ઋતુમાં પગની એડિઓ ફાટી જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે થોડુ ગરમ પાણી કરો અને તેમાં કપૂરની કેટલીક ગોળીઓ નાંખો, કેટલાક સમય સુઘી પોતાના પગને આ પાણીમાં રાખી બાદમાં તેને સાફ કરી લો. આ ઉપાયને તમે 15 થી 20 દિવસ સુઘી અપનાવો.

જો તમે સાંધાના અને સ્નાયુઓના દુ:ખાવાથી પીડિત હોવ તો કપૂર રાહત અપાવી શકે છે. એક કપૂરનું તેલ એક વોર્મિંગ સેન્સેશન પેદા કરે છે, જેના પરિણામ સ્વરૂપે નસો સંવેદનહીન થઇ જાય છે, જેનાથી દુખાવાથી રાહત મળે છે. એ માટે ગરમ તેલમાં કપૂરને મિક્સ કરીને જ્યાં દુખતું હોય એ ભાગ પર માલિશ કરવી.

કબાટમાં રાખી મુકેલા કપડાને ફ્રેશ રાખવા માટે અને જીવાતથી દૂર રાખવા માટે આપણે સામાન્ય રીતે નેપથેલીન ની ગોળીઓ વાપરતા હોઇએ છીએ પણ તેનાથી કપડામાંથી તેની વાસ આવવા લાગે છે. તો જો કપૂરની ગોળીઓ મુકવામાં આવે તો જીવડાઓ પણ નથી આવતા અને કપડામાંથી ગંદી વાસ પણ નથી આવતી. કપૂરની ગોળીઓ જંતુનાશક જેટલી જ અસરકારક હોય છે. અને તે કપડાને સુગંધથી ભરી દે છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago