મનોરંજન

કાજોલના લગ્નની વર્ષગાંઠ પતિ અજય દેવગણને નહોતી યાદ, પરંતુ શાહરૂખે આપ્યો સાચો જવાબ…

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાન અને કાજોલની ચર્ચાઓ હજી પણ કરવામાં આવે છે. સ્ક્રીન પર, કાજોલ અને શાહરૂખ સૌથી પ્રખ્યાત જોડીમાં શામેલ છે અને બંને સ્ટાર્સ તેમની કેમિસ્ટ્રીને લઈને હજી પણ હેડલાઇન્સનો ભાગ બની રહ્યા છે. આ દરમિયાન એક થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓ જોયા પછી તમે પણ કહેશો કે કિંગ ખાન અજય કરતાં તેની સહ-અભિનેત્રી અને નજીકના મિત્ર કાજોલની જીંદગી વિશે વધારે જાણે છે.

ખરેખર આ વિડિઓ એકદમ જૂની છે પરંતુ આ થ્રોબેક વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં અજય દેવગન પત્ની કાજોલ સાથે કરણ જોહરના શો કોફી વિથ કરણ પહોંચ્યો છે.
જ્યાં તેના લગ્નની તારીખ વિશે તેની પૂછપરછ કરવામાં આવે છે, પરંતુ ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તે સાચો જવાબ આપી શક્યો નહોતો. જે પછી કાજોલ સાચો જવાબ આપે છે.

બીજી બાજુ જ્યારે કાજોલ અને શાહરૂખ તેમની ફિલ્મ દિલવાલેના પ્રમોશન માટે એક ચેટ શોમાં હાજર રહ્યા હતા, જ્યારે શાહરૂખને આજ સવાલ પૂછવામાં આવ્યો હતો કે, કાજોલના લગ્નની વર્ષગાંઠ ક્યારે આવે છે. ત્યારે કિંગ ખાને થોડું ધ્યાન લગાવીને સાચો જવાબ આપ્યો હતો અને કાજોલ ખુશીથી છલકાઈ ગઈ હતી.

આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફેન ફેન બિગ બોલિવુડ સ્ટાર્સે શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 3 લાખ 78 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અજય-કાજોલ છેલ્લે ‘તન્હાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મને ચાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ સાથે જ શાહરૂખ ખાન અને કાજોલની વાત કરીએ તો બંનેની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ને તાજેતરમાં 25 વર્ષ પૂરા થયા છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago