જાણવા જેવું

તમારા ઘર કે બારીમાં કબૂતર બનાવી રહ્યું છે માળો? જાણી લ્યો તેની પાછળ નું કારણ અને જીવનના સંકેત, શુભ છે કે અશુભ

કબૂતરનું નામ સાંભળતા જ સલમાનની ફિલ્મનું ગીત યાદ આવી જાય છે. જેમાં કબૂતર પ્રેમ પત્ર આપતો નજરે પડે છે. કબૂતરના સ્વભાવને કારણે રિયલ લાઈફમાં પણ પસંદ કરવામાં આવે છે. ઘણીવાર લોકો તેને પાળવાનું પણ પસંદ કરે છે.

ઘણા લોકો કબૂતરને પાળે પણ છે તો અમુક લોકો કબૂતરને ચણ પણ નાખે છે. પરંતુ શું તમે જાણો છો કે કબૂતરનો માળો અથવા ઘરમાં રાખવું આપણાં માટે લાભદાયી છે કે નહિ? કારણ કે કબૂતરને સાચવવા મુશ્કેલ હોય છે. ઘરમાં કબૂતરનું આવવું સુખ-શાંતિ આવવાનાં સંકેત આપે છે. તેનાંથી તમને ઓછા સમયમાં મોટી સફળતા મળી શકે છે.

અમુક લોકો માટે ઘરમાં રાખવાની વાતને ખરાબ પણ છે. એતો કહેવાય ને કે જેવા લોકોના વિચાર તેવી તેમની વાણી અને વર્તન. પરંતુ આ એક સારો સંકેત માનવામાં આવે છે.પ્રયાસ કરો કે, કબૂતરોને દરરોજ દાણા-પાણી આપો. તેનાંથી તમને ફક્ત તેમની દુવાઓ જ નહી મળે, પરંતુ તમારા ઘરમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ પણ બની રહેશે.

ઘરમાં અથવા તેની આસપાસ કબૂતરનો માળો બનેલો હોય તો તેને તોડયા કે સાફ કર્યા વિના ઘરથી દૂર છોડી આવો કારણકે, તેનાંથી આર્થિક તંગીની સાથે ઘરમાં અસ્થિરતા આવે છે.જો ક્યારેક કબૂતર ઉડતું ઘરમાં આવે તો તેને ઉડાડતા નહિ પણ બેસે તો બેસવા દેજો કારણ કે તે તમારું ખરાબ ભાગ્યને પણ સારા ભાગ્યમાં બદલી શકે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે, કબૂતર માતા લક્ષ્મીનાં ભક્ત છે. જો ઘરમાં કબૂતરોનો વાસ હોવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, સાથે સુખ શાંતિમાં પણ વૃદ્ધિ થાય છે. કબૂતરોને પાળવા કરતાં તેમને દરરોજ દાણા આપો તે સારું રહેશે. આપણામાંથી ઘણા લોકોના ઘરોમાં કબૂતરોએ માળા બનાવ્યાં છે. પણ ક્યારેય લોકો એ તરફ ધ્યાન નથી આપ્યું.

પરંતુ કહેવાય છે કે જે ઘરમાં કબૂતરો માળો બનાવે તે શુભ છે. કદાચ તમને ખબર નહીં હોય કે જે ઘરમાં કબૂતર માળો બનાવે છે, તે તમારા માટે અને તમારા ઘર માટે શુભ છે.જો કબૂતર એ ઘરના માળિયામાં ઘર બનાવ્યું હોય તો તેનો અર્થ એ થાય કે તમને શક્ય તેટલી જલ્દી જ કામમાં સફળતા મળશે.ઘરમાં કબૂતર જો માળો બનાવે છે તો તે તમરા ઘરમાં સુખ અને શાંતિ લઈને આવે છે.

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જો ઘરમાં પૈસાની તંગીને દૂર કરવી હોય અને સાથે ઘરના વાતાવરણને શાતિ પૂર્ણ બનાવી રાખવા માટે તમારે કબૂતરના પાંખને સફેદ કપડામાં રાખીને તેના પર લાલ રંગનો દોરો બાંધીને પછી તેને તમારા પૈસાની તિજોરીમાં મુકવાથી અમુક જ દિવસોમાં તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને ચોક્કસ સફળતા મળશે.

જો ઘરમાં કબુતર માળો બનાવે અથવા રહે તો એ શુભ સંકેત છે કે ભવિષ્યમાં ખુબ જ જલ્દી તમને સફળતા મળવાની છે.અને તમે ભવિષ્યમાં ધનવાન પણ થઈ શકો છો તેમજ કબુત્તર ઘરમાં માળો બનાવે એ ખુબજ શુભ માનવામાં આવે છે,અને તમારા ભવિષ્યમાં પણ કેટલાક બદલાવ આવી શકે છે અને જો આપણા ઘરમાં કબુતર આવીને માળો બનાવે તો ઘરમાં કોઈ પૈસાને લઈને સમસ્યા હોય, આર્થિક મુશ્કેલી હોય તે હવે થોડાક સમયમાં દૂર થશે.

સમય જતાં તમે બધીજ મુશ્કેલીમાંથી છુટકારો મેળવી શકો છો.અને તેની સાથે જો ઘરમાં કોઈ અન્ય સમસ્યા હોય તો પણ તેમાં રાહત થશે.ઘરમાં શાંતિ ભર્યા માહોલનું સર્જન થશે.પરિવારના સભ્યો પણ ખુશ અને ઘરમાં હકારાત્મક ઉર્જા આવશે.

પરંતુ જો ઘરમાં કે આસપાસ કબુતરનો માળો ન હોય તો આપણે બહાર જઈને પણ કબૂતરને ચણ નાખવું જોઈએ અને તેના પાણી પીવા માટેની વ્યવસ્થા પણ કરવી જોઈએ. દરેક પક્ષી માટે કાર્ય કરવું શુભ હોય છે. હિન્દુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ખુબ જ પુણ્યનું કામ છે.અને તમને ફાયદો પણ મળે છે. અને આ માટે કબુતર અને અન્ય પક્ષીને ચણ પણ અવશ્ય નાખવી જોઈએ

 

Gayatri Patel

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago