સમાચાર

જાણી લો ધૈર્યરાજ સિંહના 16 કરોડના મહાદાન વિશે, હવે આટલા કરોડ જ બાકી છે…

તમે બધા જાણતા હશો કે છેલ્લા કેટલાક સમયથી 3 મહિનાના માસૂમ બાળક ધૈર્યરાજ સિંહ માટે દાન એકઠું કરવામાં આવી રહ્યું છે. આ બાળકને એક ગંભીર બીમારી છે અને તેની દવા આશરે 16 કરોડ જેટલી મોંઘી આવે છે. જેના લીધે તેના માતાપિતાએ ગુજરાત રાજ્યની જાહેર જનતાને દાન આપીને મદદ કરવા વિનંતી કરી હતી.

ત્યારબાદ ગુજરાતના લોકોએ પણ યથાશકિત પ્રમાણે દાન આપીને માસૂમ ફૂલ જેવા બાળકની બચાવી લેવા અપીલ કરી હતી. આજ ક્રમમાં ઘણા સેલિબ્રિટી, નેતાઓ અને રાજકારણીઓ મેદાનમાં આવ્યા હતા. આ જ ક્રમમાં કરણી સેના પણ આ બાળક માટે દાન એકઠું કરતા જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે આ બાળકને SMA-1 નામની ગંભીર બીમારી છે. જોકે ડોક્ટરોએ આ બીમારીના નિવારણ માટે એક વર્ષનો સમય આપ્યો છે. આ બીમારી થવા પર ધીમે ધીમે શરીરના અંગો નિષ્ક્રિય થવા લાગે છે અમે ઉંમરના એક તબક્કે પહોંચ્યા પછી સંપૂર્ણ શરીર નિષ્ક્રિય થઇ જાય છે.

સામાન્ય રીતે નાના બાળકોમાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે આ બીમારી ખૂબ જ દુર્લભ છે. જેના લીધે તે આશરે 10000 બાળકો માંથી કોઈ એકને થાય છે. આ બીમારીનો ખર્ચ પણ ખૂબ મોંઘો છે. હા, શરૂઆત માં આ બીમારીનો ખર્ચ 22 કરોડ હતો પરંતુ સરકાર દ્વારા ટેકસ માફ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ દવાનો ભાવ 16 કરોડ થઇ ગયો છે.

હાલ સુધીમાં આ બીમારી માટે ગુજરાતની જનતા દ્વારા 12 કરોડ દાન એકઠું કરી દેવામાં આવ્યું છે. હવે ફક્ત 4 કરોડની જરૂર છે. આવામાં તમને અપીલ કરીએ છીએ કે તમારે તમારી યથાશકિત પ્રમાણે દાન આપવું જોઈએ.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago