Categories: સમાચાર

વેક્સિન પૂરી પાડીને ભારત વિશ્વની સેવા કરે છે: મોદી

  • દુનિયામાં ભારત પોતે જ એક આગવી બ્રાન્ડ તરીકે ઉભરી ચુક્યું છે.
  • દેશ ઉંચાઈઓને સ્પર્શી રહ્યાનો મોદીનો દાવો.

બજેટ અંગેના વેબિનારને સંબોધિત કરતા પીએમ મોદીએ આજે કહ્યુ હતુ કે, ભારત જે રીતે કોરોના વેક્સીન પૂરી પાડીને સમગ્ર દુનિયાની વિનમ્ર બનીને સેવા કરી રહ્યુ છે તેનાથી દુનિયામાં ભારત પોતે જ એક આગવી બ્રાન્ડ તરીકે ઉભરી ચુક્યુ છે. ભારતની સાખ અને ઓળખ નવી ઉંચાઈઓને સ્પર્શી રહી છે. તેમણે કહ્યુ હતુ કે, મારી સરકાર માને છે કે દરેક વસ્તુમાં સરકારની દખલના કારણે સમાધાનની જગ્યાએ સમસ્યાઓ વધારે પેદા થાય છે.

દેશનુ બજેટ અને દેશ માટે બનનારી નીતિ માત્ર સરકારી પ્રક્રિયા ના બની રહે અને દેશના વિકાસમાં સામેલ દરેક ક્ષેત્રનુ તેમાં ઈન્વોલ્મેન્ટ હોય તેવો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, પીએલઆઈ સ્કીમ જે સેક્ટર માટે લોન્ચ કરાઈ છે તેને તો લાભ થઈ જ રહ્યો છે પણ આ સેક્ટરની સાથે જોડાયેલી ઈકો સિસ્ટમને પણ ફાયદો થઈ રહ્યો છે. પીએલઆઈ સ્કીમના કારણે ઓટો પાર્ટસ, મેડિકલ ટૂલ્સ અને દવાઓના રો મટિરિયલ સાથે જોડાયેલી વિદેશી નિર્ભરતા બહુ ઓછી થઈ જશે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારતમાંથી વેક્સિનના લાખો ડોઝ લઈને જે રીતે દુનિયાભરમાં જઈ રહ્યા છે તે પાછા આવે છે ત્યારે ખાલી નથી આવતા પણ ભારત પ્રત્યે દુનિયાના બીજા દેશના વધી રહેલા ભરોસા, આત્મિયતા, સ્નેહ અને આશીર્વાદ લઈને પાછા આવી રહ્યા છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago