અમદાવાદક્રાઇમ

અમદાવાદમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા, દુર્ગંધ આવતા થયો ખુલાસો

અમદાવાદમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા, દુર્ગંધ આવતા થયો ખુલાસો

રાજ્યમાં સતત ક્રાઇમના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે. જેના કારણે સામાન્ય લોકો ચિતામાં વધારો થઇ રહ્યો છે. જે રાજ્યમાં સૌથી વધારે હત્યાના બનાવો અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યા છે. ત્યારે આજે પણ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જે અમદાવાદમાં એક જ પરિવારના 4 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસને આશંકા છે કે ઘરના ઝઘડામાં આ હત્યાકાંડ કરવામાં આવી હોઈ શકે છે. હાલ પોલીસે શંકાના આધારે પરિવારના એક સભ્યની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, શહેરના ઓઢવ વિસ્તારની દિવ્યપ્રભા સોસાયટીમાં એક ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી. સ્થાનિક નાગરિકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે જ્યારે ઘરનું તાળું તોડ્યું તો તેણે ઘરના અલગ-અલગ રૂમમાં ચાર મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં 4 દિવસ પહેલા ચાર લોકોની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે એવી આશંકા વ્યક્ત કરી છે કે ઘરમાં ઝઘડા બાદ હેડમેન વિનોદ મરાઠી તેની પત્ની સોનલ મરાઠી, પુત્રી પ્રગતિ, પુત્ર ગણેશ અને સાસુ સુભદ્રાની હત્યા કરીને ભાગી ગયો છે.

મૃતકોની યાદી

1. સોનલ બેન પત્ની
2. પ્રગતિ બેન છોકરી
3. ગણેશ ભાઈ છોકરો
4. સુભદ્રા બેન દાદી

ખરેખરમાં, વિનોદ મરાઠી ઘટનાસ્થળેથી ફરાર છે, તેથી તેના પર પોલીસની શંકા વધુ પ્રબળ બની રહી છે. પોલીસની ટીમોએ આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને પંચનામા કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

અમદાવાદના જેસીપી ગૌતમ પરમારે જણાવ્યું કે મૃતકોના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ આ કેસમાં ઘરેથી પુરાવા એકત્ર કરી રહી છે. તેમજ શંકાસ્પદ આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં પોલીસ આ મામલે ખુલાસો કરશે.

[quads id=1]

Related Articles

Back to top button