ગુજરાતસમાચાર

રાજ્યમાં સ્કૂલ અને કોલેજોને લઈને આવ્યા મહત્વના સમાચાર

રાજ્યમાં સ્કૂલ અને કોલેજોને લઈને આવ્યા મહત્વના સમાચાર

કોરોના કેસમાં ઘટાડો થતા હવે રાજ્ય સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી છે, જેને લઈને આજે બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે, જો કે, ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 15 દિવસથી સતત ઘટી રહ્યો છે, સરકારો એક બાદ એક પ્રતિબંધો દૂર કરી રહી છે. ત્યારે કોરોનાને લઈને શાળામાં ભણતા બાળકોને લઈને પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણના તથા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને અધિકારીક રીતે તમામ પ્રકારની શાળા કોલેજોને ઓફલાઇન શિક્ષણ આપવા માટેની છુટ આપી દેવામા આવી છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. કોર કમિટીમાં થયેલી ચર્ચા બાદ રાજ્ય સરકાર દ્વારા 21 ફેબ્રુઆરી 2022થી રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન કરવાનો નિર્ણય કર્યો છે.

જો કે, આ માટે શાળા અને કોલેજો દ્વારા કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે તેવું પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે. 21 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ બંધ કરી દેવામા આવ્યો છે. તેવામાં હવે તમામ પ્રકારનું ઓનલાઇન શિક્ષણ કાર્ય બંધ થઇ જશે.

[quads id=1]

Related Articles

Back to top button