જાણવા જેવું

હવેથી પૈસા ઉપાડવા માટે એટીએમ કાર્ડની નહીં પડે જરૂર, તમે યુપીઆઈ એપ્લિકેશન દ્વારા ક્યૂઆર કોડ સ્કેન કરીને ઉપાડી શકશો પૈસા.

આપણે પૈસા ઉપાડવા હોય તો એટીએમ સાથે હોવું જરૂરી છે. હવેથી આપણે આ એટીએમ વગર પણ કોઈપણ જગ્યાએથી પૈસા ઉપાડી શકીશું. એટીએમના બનાવનાર એનસીઆર એ એવી સુવિધા બનાવી છે કે જેનાથી આપણે પૈસા ઉપાડવા માટે એનસીઆર જરૂર પડશે નહીં. આપણે મોબાઈલ માં રહેલી યુપીઆઈ એપ્લિકેશનથી ક્યૂઆર કોડ સ્કેન કરીને પૈસા ઉપાડી શકીશું.

એટીએમ બનાવનાર એનસીઆર નિગમે જણાવ્યું કે તેમણે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇંટરફેસ પ્લેટફોર્મના આધારે પહેલું ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ ઉપાડ (આઈસીસીડબ્લ્યુ) સોલ્યુશન શરૂ કર્યું છે. આ નવી સુવિધા શરૂ કરી હોવાથી માટે સીટી યુનિયન બેંકે એનસીઆર સાથે હાથ મિલાવ્યો છે. ક્યૂઆર કોડ સ્કેન કરીને ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ પૈસા ઉપાડવાની સુવિધાને મંજૂરી આપવા માટે બેંકે તેના 1,500 એટીએમ ઉપડેટ કરી દીધા છે.

સીટી યુનિયન બેંકના મેનેજિંગ ડિરેક્ટર એન.મ.કામકોડીએ જણાવ્યું હતું કે અમે આઈસીસીડબ્લ્યુ સોલ્યુશન્સ માટે એનસીઆર સાથે ભાગીદારી કરી છે. આનાથી અમે અમારા ગ્રાહકોને આગળની પેઢીઓના પ્રશ્નોના સોલ્યુશન્સ માટે સક્ષમ બનાવશે. આનાથી યુપીઆઈ કોડનો ઉપયોગ કરીને એટીએમમાંથી પૈસા ઉપાડી શકાઈ છે.

કેવી રીતે કરશે કામ આ સુવિધા.

નવા એટીએમથી પૈસા ઉપાડવા માટે સૌથી પહેલા સ્માર્ટફોનની કોઈપણ યુપીઆઈ એપ્લિકેશન (જીપી, બીએચઆઈએમ, પેટીએમ, ફોનપે, એમેઝોન) ખોલવી પડશે. એપ્લિકેશન ખોલ્યા પછી એટીએમ સ્ક્રીન પર આપવામાં આવેલા ક્યૂઆર કોડ સ્કેન કરવો પડશે. આ પછી મોબાઇલ ફોન દ્વારા પૈસા ઉપાડીને અધિકૃત કરવું પડશે.

આ વ્યવહારને વધુ સુરક્ષિત બનાવવા માટે ક્યૂઆર કોડ વારંવાર બદલવામાં આવશે. આ સુવિધામાં 5000 સુધી પૈસા ઉપાડી શકાય છે.

જાણો આ સુવિધા કેટલી સલામત છે?

આ સુવિધામાં સુરક્ષા જોઈએ તો અત્યાર સુધીની સૌથી સલામત સુવિધા છે, કારણ કે આમાં કાર્ડને સાથે લઈ જઈને રજાને સ્વાઇપ કરવાની કોઈ જરૂર રેતી નથી, તમારું કાર્ડ સ્કીમ્ડ થઈ શકે એવું અહિયાં શક્ય નથી. આ સુવિધામાં ક્યૂઆર કોડની કોપી પણ બની શક્તિ નથી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago