ગુજરાત

ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટના નિયમોનું પાલન ન કરવા પર વ્યક્ત કરી નારાજગી, સરકાર પાસે માંગ્યો જવાબ

ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટના નિયમોનું પાલન ન કરવા પર વ્યક્ત કરી નારાજગી, સરકાર પાસે માંગ્યો જવાબ

હાઈકોર્ટે દ્વિચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરવાના નિયમોનું પાલન નથી કરતા તેની કડક સંજ્ઞા લીધી છે.કોર્ટે સરકારને પૂછ્યું છે કે હેલ્મેટના નિયમોનું ફરજિયાત પાલન કેમ કરવામાં આવતું નથી. રસ્તાઓ પર હેલ્મેટ વિના દ્વિચક્રી વાહન ચલાવવા પર નારાજગી વ્યક્ત કરતા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ડિવિઝન બેન્ચે કોર્ટની અવમાનના હેઠળ દાખલ કરેલી અરજીની સુનાવણી કરતા સરકારને સવાલ કર્યો હતો કે રાજ્યમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત છે? અથવા નહીં.

હેલ્મેટ કાયદાનો અસરકારક અમલ કેમ થતો નથી. બેન્ચે તેના એક અવલોકનમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર હેલ્મેટને ફરજિયાત બનાવવાના મામલે કડક પગલાં લઈ રહી નથી. આ બાબત લોકોની સુરક્ષા સાથે જોડાયેલી છે. આનું પાલન કરવું જોઈએ, સરકાર આ મામલે કેમ ઢીલી છે.

ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું હતું કે, કોર્ટના ધ્યાને આવ્યું છે કે રાજ્યના મોટા શહેરોમાં ડ્રાઇવરો હેલ્મેટ પહેર્યા વિના જ વાહન ચલાવે છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટના નિયમોનું ફરજિયાતપણે પાલન કરવું જોઈએ. કોર્ટે અવલોકન કર્યું કે ઉનાળાની ઋતુમાં હેલ્મેટ પહેરવાનું વચન આપવામાં આવે ત્યારે લોકો હેરાન થશે.

લોકો અને પોલીસ વચ્ચે તણાવ કે ઝઘડા પણ થઈ શકે છે. આવી ઘટનાઓ સામે આવશે, પોલીસે પણ આ માટે તૈયાર રહેવું પડશે, પરંતુ હેલ્મેટ પહેરવાના કાયદાનું પાલન કરવું જરૂરી છે. હાઈકોર્ટના કડક વલણને જોતા સરકારી વકીલે ટુ વ્હીલર ચાલકોના હેલ્મેટ પહેરવાના નિયમોનો અમલ કરવાની ખાતરી આપી હતી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago