સમાચાર

ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ કરી મોટી જાહેરાત, કોરોનાના સામેની જંગ લડવા ભારતને આપશે આટલા કરોડ રૂપિયા

ભારતમાં દરરોજ કોરોનાના વધતા જતા કેસોને કારણે દેશભરમાં મુશ્કેલીઓનો વરસાદ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ઘણા મૈત્રીપૂર્ણ દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે અને હવે ગૂગલ કંપનીએ પણ ભારતને મદદ કરવા માટે 135 કરોડ રૂપિયાના ભંડોળની જાહેરાત કરી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ જાતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

સુંદર પિચાઇના ટ્વિટ મુજબ, ‘ભારતમાં કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ગૂગલે 135 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આ ભંડોળ ‘Give India’ અને યુનિસેફ દ્વારા ભારતને આપવામાં આવશે.

GiveIndia ને આપવામાં આવેલ ભંડોળથી તે લોકોને આર્થિક મદદ કરવામાં આવશે જે કોરોનાના કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે, જેથી તેઓ તેમના રોજિંદા ખર્ચ ઉઠાવી શકે. ત્યાર બાદ યુનિસેફ દ્વારા ઓક્સિજન અને ટેસ્ટિંગ સાધનો સહિત અન્ય તબીબી પુરવઠો પૂરો પાડવામાં આવશે. ગૂગલના કર્મચારીઓ પણ ભારત માટે દાન એકત્ર કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગૂગલના 900 કર્મચારીઓએ 3.7 કરોડનું ભંડોળ એકઠું કર્યું છે.

તમને જણાવી દઈએ કે, રવિવારે ભારતમાં કોરોનાના સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. કોઈ પણ દેશમાં એક દિવસમાં આવેલ સૌથી વધુ કેસ છે. જ્યારે કોરોનાના કારણે 2800 થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. ભારતમાં કોરોનાને કારણે આ સૌથી વધુ મોત છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago