દરેકના જીવનમાં પૈસાની મોહમાયા હોય છે.પૈસા વિના વ્યક્તિ તો જીવન જીવવાની કલ્પના પણ નથી કરી શકતો.આજની દુનિયામાં મોંઘવારી વધવાની સાથે પૈસા મહત્વના છે.
આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિનો એક જ પ્રયાસ છે કે તે વધુને વધુ માત્રામાં પૈસા કમાય શકે. પરંતુ દરેકનું ભાગ્ય એટલું મજબૂત નથી. ઘણી વાર મહેનત કરીને પણ પૈસા મળતા નથી. આ બધુ ક્યારેક નસીબને કારણે થાય છે. જો જીવનમાં તમને પણ પૈસાની તંગી હોય તો અજમાવો આ ઉપાય તમારા ઘરમાં પૈસાની કોઈ કમી ક્યારેય નહીં રહે.
ક્યારેક ઘરમાં ખરાબ વસ્તુના કારણે વ્યક્તિ ઘણી વખત સમસ્યાઓથી ઘેરાય છે. અથવા જો કોઈની કુંડળીમાં દોષ હોય તો તે કારણે પણ વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી રોગથી પીડાય છે તો સૂતી વખતે ઓશીકાની નીચે 11 રૂપિયા મૂકવાથી શુભ ફળ મળે છે. આ ઉપાયથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
શુક્રવાર એ માતા લક્ષ્મીજીનો વાર છે અને એ ધનની દેવી પણ છે આ ઉપાય કરતી વખતે, તમારે તેમના આશીર્વાદ લેવા જોઈએ. સૌ પ્રથમ, 10 રૂપિયાની નોટ સાથે 1 સિક્કો લો. હવે આ ૧૧ રૂપિયા દેવી લક્ષ્મીજીના ચરણોમાં મૂકો. આ પછી લક્ષ્મીમાં સામે ઘીનો દીવો કરીને લક્ષ્મીજીની આરતી કરો ધન વૃદ્ધિ વધારવા માટે પ્રાથના કરો.
ત્યારબાદ આરતીમાં 11 રૂપિયા મૂકો હવે લાલ રંગના કાપડમાં ૧૧ રૂપિયાની સાથે સોપારી મૂકી ઘરમાં પૂર્વ દિશામાં છુપાવો જ્યાં કોઈ વ્યક્તિની નજર ન પડે આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય બદલાશે તેનાથી તમારું નસીબ ખુલશે અને ઘરમાં પૈસાની તંગી ક્યારેય નહીં આવે.
૧૧ રૂપિયાની સાથે સોપારીને લાલ કાપડમાં બાંધી તિજોરીમાં રાખવાથી પણ ઘરમાં લક્ષ્મીજી પોતાની કૃપા કરે છે. પૂજામાં ઉપયોગ કરવામાં આવતી સોપારીએ તિજોરીમાં રાખવાથી પણ લાભદાયી હોય છે. પહેલાના વડીલ શુભ કામ માટે ૧૧ રૂપિયા જ આપતા હતા અને તેના આશીર્વાદ રૂપે પોતાની સાથે રાખતા અથવા ઘરની તિજોરીમાં સાચવી રાખતા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…