રમત ગમત

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા રાખતા હતા કે આ દિગ્ગજ ખેલાડી રાજનીતિમાં આવશે. આ અંગે કોઈ ખાસ ખબર તો નથી મળી પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સનો એક ખેલાડી રાજનીતિમાં નવી ઇનિંગ શરુ કરવા તૈયાર થઇ ગયો છે. ચેન્નઈના બેટ્સમેન અંબાતી રાયડુએ હાલમાં IPLથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે તે રાજનીતિમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.

પુન્નુર અને ગંટૂરથી ચુંટણી લડી શકે છે રાયડુ

રાયડુ હાલમાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડી સાથે બે વાર મળ્યો હતો.વાઈએસ જગનમોહન વાઈએસઆરસીપીના અધ્યક્ષ પણ છે. સુત્રો મુજબ રાયડુ લોકસભા ચુંટણી માટે આ પાર્ટી તરફથી ચૂંટણી લડી શકે છે. કેટલાંક રાજનીતિક વિશેષજ્ઞોનું માનવું છે કે રાયડુએ પુન્નુર અને ગંટૂર વિસ્તારથી ચુંટણીમાં ઉતરવું જોઈએ.

અંબાતી રાયડુએ કર્યા સીએમના વખાણ

રાયડુ ઘણાં અવસરો પર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીના વખાણ કરી ચુક્યા છે. તેણે હાલમાં જ કહ્યું હતું કે, સીએમ જગનમોહન રેડ્ડી એવા યુવાઓ માટે પ્રેરણા છે જે રાજનીતિમાં આવવાની ઈચ્છા ધરાવે છે. તે સંપૂર્ણ પ્રદેશના વિકાસ વિશે વિચારી રહ્યા છે.

Gujarat Coverage

Recent Posts

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago

લઠ્ઠાકાંડ મુદ્દે મુખ્યમંત્રી અને સી.આર.પાટિલ શા માટે ચૂપ છે?: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ એક વિડિયો ના માધ્યમથી જણાવ્યું…

2 years ago