સમાચાર

યુનિવર્સિટી ઓફ ફિલિપાઇન્સમાં ફાયરિંગ, ત્રણ લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

ફિલિપાઇન્સમાં એક યુનિવર્સિટીમાં ફાયરિંગ થઈ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ત્રણમાં મોત અને ઈજા થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રાજધાની મનિલામાં યુનિવર્સિટીના સ્નાતક સમારોહ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા અને ઓછામાં ઓછા બે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. કુઝોન સિટીના પોલીસ વડા રિમસ મેદિનાએ એક ટેલિવિઝન ચેનલને જણાવ્યું હતું કે, શંકાસ્પદ પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર, બે પિસ્તોલથી સશસ્ત્ર હુમલાખોરોએ ક્યુજોન શહેરમાં એટેનિયો ડી મનીલા યુનિવર્સીટીના દરવાજા પાસે ફાયરિગ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા  જણાવવામાં આવ્યું છે કે, યુનિવર્સિટી બંધ થઈ ગઈ છે અને લો સ્કૂલમાં યોજાયેલ સ્નાતક સમારોહ રદ કરવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગેસમુંડો હુમલા સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યુનિવર્સિટી જઇ રહ્યા હતા. તેમને સમારોહમાં વક્તા તરીકે આમંત્રણ અપાયું હતું. તેમને પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી.

શહેરના મેયર જોય બેલ્મંટેએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, આવી ઘટનાને આપણા સમાજમાં કોઈ સ્થાન નથી અને તેની નિંદા ઉચ્ચતમ સ્તરે કરવી જોઈએ.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago