મનોરંજન

ફિલ્મ “રાધે શ્યામે” રીલીઝ પહેલા જ આ રીતે કરી 200 કરોડની કમાણી

પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ ‘રાધે શ્યામ’ શુક્રવારના બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. લોકો લાંબા સમયથી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોરોનાના કારણે આ બહુપ્રતિક્ષિત ફિલ્મને સતત પોસ્ટપોન કરવામાં આવી હતી. ભલે આ ફિલ્મ વિલંબ બાદ રિલીઝ કરવામાં આવી હોય પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મે રિલીઝ પહેલા જ 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જો ફિલ્મને સારી ઓપનિંગ મળે છે તો પહેલા અઠવાડિયામાં જ ફિલ્મની કમાણી 300 કરોડને પાર પહોંચી શકે છે.

રિલીઝ પહેલા જ 210 કરોડની કમાણી
AndhraBoxOffice.com ના એક રિપોર્ટ અનુસાર, ફિલ્મના થિયેટર રાઇટ્સ 210 કરોડ રૂપિયામાં વેચાયા છે. જેમાંથી 100 કરોડ રૂપિયા તેલુગુ રાજ્યોમાં ફિલ્મના વેચાણ માટે વાપરવામાં આવશે. ફિલ્મ ‘બાહુબલી’ ના રિલીઝ બાદ પ્રભાસની લોકપ્રિયતા દેશ દુનિયામાં ઘણી વધી ગઈ હતી અને જ્યારે હવે આ ફિલ્મને પણ ઇન્ડિયામાં રીલીઝ કરવામાં આવી રહી છે એવામાં ઓપનિંગ ડે પર જ ફિલ્મ મોટી કમાણી કરી શકે છે.

આ વાતમાં કોઈ શંકા નથી કે તેલુગુ રાજ્યોમાં ફિલ્મની કમાણી શાનદાર થઈ શકે છે પરંતુ ઉત્તર ભારતીય રાજ્યોમાં ફિલ્મ કેવું પરફોર્મન્સ કરશે એ જોવાનું રસપ્રદ રહેશે. તેમ છતાં ફિલ્મ માટે પડકારો પણ ઓછા નથી, કેમ કે અજીત સ્ટારર ફિલ્મ વલીમઈ પહેલાથી જ થીયેટરોમાં કબ્જો જમાવીને બેઠી છે અને Etharkkum Thunindhavan પણ ગુરુવારના રીલીઝ કરી દેવામાં આવશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago